SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન થ, જે માટે કર્ષ, પલ, તુલા અને ભાર નામના માપને ઉપયોગ કરવામાં આવતું. અવમાનમાં હસ્ત, દંડ, ધનુષ્ક, યુગનાલિકા, અક્ષ અને મુસલની ગણના કરવામાં આવતી હતી. આ માપથી ઘર, લાકડાં, ચટાઈએ, કપડાં અને ખાઈ વગેરે માપવામાં આવતાં. ગણિમન અર્થ છે ગણવું. એના વડે એકથી એક કરોડ પર્યન્તની ગણતરી કરવામાં આવતી. પ્રતિમાનામાં ગુંજા, કાકિણ, નિષ્પાવ, કર્મમાષક, મંડલક અને સુવર્ણની ગણત્રી કરવામાં આવતી. જેના વડે સોનું, ચાંદી, રત્ન, મોતી, શંખ, પ્રવાલ વગેરે તલવામાં આવતાં.૪૨ અંતર માપવા માટે અંગુલ, વિતતિ, રનિ કુક્ષિ, ધનુષ અને ગભૂત વગેરેને ઉપગ થતું. લબાઈ માપવા માટે પરમાણુ, રથરેણુ, બાલાગ્ર, શિક્ષા, યૂકા અને યવનો ઉપયોગ કરવામાં આવતા.૪૩ સમય માપવા-ગણવા માટે આવલિકા, ધાસઉચ્છવાસ, સ્તોક, લવ, મુહુર્ત, અહેરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશતથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધીના માપને ઉપયોગ થત.૪૪ સમય માપવા માટે નાલિકા યા શંકુચ્છાયાને ઉપયોગ કરવામાં આવત.૪૫ તાજવાને ઉપયોગ કરવામાં આવતે અને એ છે વધતે તેલ કરવાને પણ ચાલ હતું. ૪૨ અનુગદ્વાર સૂત્ર ૧૩૧ ૪૩ અનુયોગઠાર ૧૩૩, સરખાવો – અર્થશાસ્ત્ર ૨,૨૦,૩૮ પૃ ૨૩૭ ૪૪ અનુયોગદ્વાર ૨,૨૦,૩૮ પૃ. ૨૪૧ ૪૫ દશવૈકાલિક ચુર્ણિ ૧, પૃ. ૪૪ બૃહત્ક૯૫ભાષ્ય પીઠિકા ૨૬૧ ૪૬ (ક) અર્થશાસ્ત્ર પૃ. ૨૪૧માં નાલિકાનો ઉલ્લેખ છે, ઉપાસકદશા ૧, પૃ. ૧૦ (ખ) નિશીથ ચૂર્ણિ, પીઠિકા ૩૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy