SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન હતું. અને પછી ગીત–વાજિંત્ર સાથે મહાવીરને નિશાળમાં પ્રવેશ કરા હતા.પ વિદ્યા-કેન્દ્ર આ સમયમાં રાજા, મહારાજા તથા સામંત લોકે, સામાન્ય રીતે કેઈ વિદ્યાકેન્દ્રના આશ્રયદાતા બનતા. સમૃદ્ધ રાજ્યની રાજધાનીમાં વિદ્વાન લોકો દૂર દૂરથી આવીને નિવાસ કરતા હતા. આ કારણે રાજધાનીઓ જ વિદ્યાકેન્દ્ર બની જતી. વારાણસી શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. શ્રાવસ્તી પણ એક જાણીતું શિક્ષણકેન્દ્ર હતું. પાટલિપુત્રમાં પણ વિદ્યાથીઓ અધ્યયન કરવા આવતા. દક્ષિણમાં પ્રતિષ્ઠાન નગર મેટું વિદ્યાકેન્દ્ર હતું. બૌદ્ધ સાહિત્યમાં તક્ષશિલાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. - સાધુ-સાધ્વીઓના ઉપાશ્રય પણ ચાલતાં ફરતાં શિક્ષણ કેન્દ્ર હતાં. જ્યાં વિવિધ વિષચેનું અધ્યયન કરાવવામાં આવતું. જેનામાં અલ્પ પ્રમાણમાં તેજસ્વિતા હોય તે અગિયાર અંગેનું અધ્યયન કરતા અને જેમાં વધુ પ્રતિભા હોય તે પૂર્વ સાહિત્યનું અધ્યયન કરતા. પૂર્વેમાં સંપૂર્ણ જ્ઞાન-વિજ્ઞાનને સમાવેશ કરી લેવામાં આવ્યું હતું. એ જ્ઞાનવિજ્ઞાનને અક્ષયકેશ હતે. વિદ્યાનાં વિભિન્ન ક્ષેત્રોમાં સત્ય દષ્ટિથી સમ્યકજ્ઞાનની વૃદ્ધિ કરવી તે શ્રમણોની શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિની આશ્ચર્યજનક વિશેષતા હતી. તેઓ દાર્શનિક વિષયે પર સૂક્ષ્માતિસૂક્ષમ ચર્ચા કર્યા કરતા અને પરતીથિકે પર વિજય પ્રાપ્ત કરતા હતા. ૭ લેખનકલા આ યુગમાં લેકે લેખનકળાથી પરિચિત હતા. લેખન સામગ્રી ૬૫ કપસૂત્ર ટીકા ૫, પૃ. ૧૨૦. ૬૬ (ક) કલ્પસૂત્ર ટીકા ૪ પૃ. ૯૦ (ખ) બુદ્ધિસ્ટ સ્ટડીઝ પુ. ૨૩૬ ડો. રાધાકુમુદ મુકજી ૬૭ (ક) બૃહકલપભાગ ૪, ૫૧૭૯, ૫૪૨ ૬-૫૪૩૧ (ખ) વ્યવહારભાષ્ય ૧ પૃ. ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy