SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃત ખાવા-પીવાની વ્યવસ્થા કરી લેતા. કૌશામ્બી નગરીના બ્રાહ્મણ કાશ્યપને પુત્ર કપિલ શ્રાવસ્તીમાં અભ્યાસ કરવા ગયે હતે. અને કલાચાર્યના સહેગથી એણે પિતાના ભેજન માટે ધનવાન શાલિભદ્રને ત્યાં પ્રબંધ કર્યો હતો. વિદ્યાર્થીઓનું સમાજમાં સારું સન્માન હતું. જ્યારે કેઈ વિદ્યાર્થી પિતાને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી પિતાના ગૃહે પાછો ફરતો તે વખતે એનું જાહેરમાં સન્માન કરવામાં આવતું. નગરને શણગારવામાં આવતું. રાજા પણ એના સ્વાગત માટે એની સામે જતા હતા. અને ખૂબ આદર સાથે એને નગરમાં લાવી એને જીવનપર્યન્ત આર્થિક દષ્ટિથી તકલીફ ન પડે એટલી બધી ભેટે આપતા.' બ્રાહ્મણ પ્રાયઃ ચૌદ વિદ્યામાં પારંગત હતા. એ ચૌદ વિદ્યા આ પ્રમાણે છેઃ (૧) શિક્ષા, (૨) કલ્પ, (૩) વ્યાકરણ, (૪) નિરુક્ત, (૫) છદ, (૬) તિષ, (૭) ત્રાગ્યેદ, ૮) યજુર્વેદ, (૯) સામવેદ, (૧૦) અથર્વવેદ, (૧૧) મીમાંસા, (૧૨) ન્યાય, (૧૩) પુરાણ અને (૧૪) ધર્મશાસ્ત્ર.૧૩ બોતેર કલાઓને અભ્યાસ કરવાની પ્રથા પણ પ્રચલિત હતી.૪૪ - ભગવાન મહાવીર આઠ વર્ષના થયા ત્યારે રાજા સિદ્ધાર્થે એમ નિશાળે બેસાડવાને ઉત્સવ યે હતા. તિષીઓને બેલાવી મુહૂર્ત કઢાવ્યું હતું. અને સ્વજનેને ભેજન કરાવી એમનું સન્માન કર્યું હતું. અધ્યાપકને બહુમૂલ્યવાન વસ્ત્રાભૂષણ અને શ્રીફળ વગરે ભેટ આપ્યાં હતાં. નિશાળના વિદ્યાર્થીઓને ખડિયે, કલમ અને ફૂટપટ્ટી વગેરે આપ્યાં હતાં અને દ્રાક્ષ, સાકર, ચારોળી અને ખજૂર વગેરે વહેંચ્યું ૬૧ ઉત્તરાધ્યયન, સુખબધા પત્ર ૧૨૪ ૬૨ (ક) ઉત્તરાધ્યન સુખબધા પત્ર ૨૩ (ખ) જ્ઞાતૃધમ કથા ૧, પૃ. ૨૨ ૬૩ ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિ પત્ર પર ૬૪ ઉત્તરાધ્યયન સુખબધા પત્ર ૩૧૮ 19. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy