________________
| સાચું શરણ : તમારા જીવનમાં શું કયારેય કોઈ મુંઝવણ નથી આવી ? આપત્તિ નથી આવી ? તમે તમારી મુંઝવણ કે આપત્તિને દૂર કરવા સ્વયં અસમર્થ બન્યા ત્યારે તમે કોની પાસે ગયા ? કેનું શરણ લીધું ? - શું તમે કયારે ય દુઃખ આપત્તિની મુંઝવણમાં જિનેશ્વરદેવનું શરણ લીધું ? તમારા હૃદયમાં શું એ દઢ નિશ્ચય-શ્રદ્ધા છે કે શ્રી જિનેશ્વર ભગવંત જ આ જગતમાં સાચું શરણ છે? એમના સિવાય આ જગતમાં કઈ સાચું શરણ આપી શકનાર નથી ?
ભાગ્યવંત ! ભૂલા ન ભમે. ક૯પવૃક્ષને ત્યજીને બાવળના શરણે જવાની ભૂખતા ન કરો. નિર્ણય કરો: પરમ કૃપાળુ પરમાત્મા સિવાય હું કોઈનું ય શરણ લેનાર નથી.... એ જ શરણ છે.... ?
હું શરણાગત ! अरिहंते सरणं पवज्जामि सिद्धे. सरणं पवज्जामि साहू सरणं पवज्जामि
केवलिपन्नतं धम्म सरणं पवज्जामि ॥ રોજ પ્રભાતે અને રાત્રે સુતી વખતે આ પ્રમાણે શરણ સ્વીકારની પ્રતિજ્ઞા કરેઃ “હું પરમાત્માનો શરણાગત છું. ” આ ભાવ પરમાત્મા પ્રત્યે દઢ અનુરાગ જન્માવશે. પછી સંસારના રાગ મોળા પડી જશે. જેમ જેમ પરમાત્મા પ્રત્યે રાગ વધતો જશે તેમ તેમ વિષયસુખમાંથી રાગ નિવૃત્ત થવા લાગશે
આ જન્મ જરા મૃત્યુથી ભયંકર સંસારમાં પરમાત્મા સિવાય આપણા આત્માને કેણ બચાવી શકનાર છે? એ જ શરણ છે. એ જ તારક.... એ જ બાધક....
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org