SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તારું શું ?, હું એક છું'...આ સંસારમાં મારૂ કેઈ નથી.....” આ ભાવનાથી તમારા હૃદયને વાસિત કરી દો. તમારી ભૌતિક સ્વાથની સિદ્ધિ મૈટે તમે જેને જેને તમારાં માન્યાં છે, તેમાં કોઈ જ તમારૂં નથી, એમ શ્રી જિનેશ્વર ભગવત કહી રહ્યા છે. હે' એક છું ?? એનો અર્થ એ છે કે “ હું શુદ્ધ આત્મદ્રવ્ય છું ...કમની માયાજાળ મારી નથી.... શુભાશુભ કમેના ઉદયાને હું મારા નહિ માનું. મારું જે છે તે તો શુદ્ધ જ્ઞાન છે, તે મારૂ છે અને મારૂં જ રહેવાનું છે. એ કદી પણ મારાથી અળગું થવાનું નથી.” - ખરેખર, આ સંસારમાં જીવ, જે પોતાના નથી તેમને પોતાના માનીમાનીને જ દુ:ખી થાય છે.... અને જે પોતે છે, જે પોતાનું છે, તેને ઓળખતા નથી, તેથી ભ્રમણામાં અટવાયા કરે છે. તું સહુથી ભિન્ન ! તમારે આત્મહિત કરવું છે, તેમાં તમે બીજા સામું શા માટે જુઓ છો ? - તમે એકલા જ જમ્યા છે, એકલા જ મૃત્યુ પામવાના છે. અન’ત ભવમાં તમે તમારા પુણ્ય-પાપને લઈને ભટકયા છા.... હવે એ પરિભ્રમણનો અંત તમારે જ લાવવાનો છે. - બીજાના એટલે બધા વિચાર ન કરો કે આ મહાન માનવ જીવન એ.મ જ ચાલ્યું જાય, ધમ પુરુષાથની અણમોલ ઘડી ચાલી જાય , તમે તમારા આત્મા સામે તે જુઓ ! એ કેટલે દુઃખી છે? એ કેટલે મલીન છે ? એ કેટલે અશાંત છે? તમારે એનું દુ:ખ, મલીનતા, અશાંતિ દૂર કરવા માટે પુરુષાર્થ વિના વિલંબ કરવા જોઈએ. ] તું સહુથી ભિન્ન છે... તું એક છે. તું તારા વિચાર કર. તાશ એંભાના વિચાર કર. ૩૦ આત્મસ વેદન Jain Education Intematonal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy