SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ - - કદી ન જાય તેવું સુખ કયારે મળે ? જરા પણ દુઃખનું મિશ્રણ ન હોય તેવું સુખ કેવી રીતે મળે? અવ્યાબાધપણે ભેગવી શકાય તેવું સુખ કેવી રીતે મળે? તેવા સમયે સાચી જીજ્ઞાસા થવાથી જ્ઞાની ગુરૂને મેળાપ થાય છે અને સુખ અને આનંદને પરમ ભંડાર પિતાના આત્મામાં છુપાયેલો પડ્યો છે તેવું સમજાય છે અને સત્યને માર્ગ પ્રાપ્ત થાય છે. દુઃખ ન આવ્યું હોત તે સત્યને માર્ગ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા કદી ન થાત. હકીકતમાં સુખની મેસમ સ્વર્ગમાં છે. દુ:ખની મેસમ નરકમાં છે. મનુષ્યજીવન તો ધર્મની માસમ છે. જ્યાં સુખ અને દુ:ખ બને આવે છે અને બન્નેમાં સમત્વ સાધીને ધર્મસાધના દ્વારા અવ્યાબાધ અનંત સુખ (મેક્ષનું મુખ) પ્રાપ્ત કરવાને માગ મળી શકે છે. દુઃખ સિવાય સુખની કિંમત સમજાતી નથી. ઉનાળામાં કેરીના રસના જમણ સાથે કારેલાનું કડવું શાક બનાવવામાં આવે છે. દૂધપાકના જમણ સાથે વાલની કડવી દાળ બનાવવામાં આવે છે. કારેલાનું કડવું શાક ખાધા પછી કેરીના રસની મીઠાશ વધી જાય છે. આ રીતે દુઃખ આવ્યા પછી જ સુખની કિંમત સમજાય છે, અને ત્યારે જ સમજુ અને બુદ્ધિમાન મનુષ્ય છેવટે અનંત અવ્યાબાધ, સ્વાધીન એવા આત્મિક સુખ તરફ વળે છે અને જિનકથિત માર્ગ પ્રાપ્ત કરીને અનંત સુખ અને આનંદનું BE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy