SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - સૂરિ મહારાજા બિરાજમાન હતા. શ્રીપાલ અને મયણા જિનમંદિરમાંથી ઉપાશ્રયમાં જઈ ધર્મ દેશના આપતા ગુરુ ભગવંતની પાસે ધર્મ દેશના સાંભળવા બેઠાં. ધર્મ દેશના પૂરી થયા પછી મુનિચંદ્રસૂરિ મહારાજા મયણાસુંદરીને પૂછે છે, “હે રાજપુત્રી ! તું ધર્મ સંબંધી પ્રશ્નો પૂછવા માટે અનેક સખીઓના પરિવાર સાથે ઉપાશ્રયમાં આવતી હતી. આજે તું એકલી કેમ છે? અને તારી સાથે આ મહાભાગ્યવાન પુરુષ કેણ છે ?” આ પ્રમાણે ગુરૂનાં વચન સાંભળી મયણાસુંદરીએ મન સ્થિર કરી, બનેલી બધી હકીકત ગુરૂ ભગવંતને કહી સંભળાવી. વળી મયણા કહે છે, “બીજું તે મારા મનમાં કાંઈ દુઃખ નથી, પરંતુ આખી ઉજની નગરીમાં અજ્ઞાની લોકો ધર્મની નિંદા કરે છે એ મને ખટકે છે.” મયણા ગુરૂને વિનવે, દેઈ આગમ ઉપયોગ કરી ઉપાય નિવારીએ, તુમ શ્રાવક તનુ રેગ. “આપ કાંઈ ઉપાય કરી આપના શ્રાવકને કેદ્રને રાગ દૂર કરો.” ત્યારે મુનિચંદ્રસૂરિ મહારાજ કહે છે, “જેન મુનિઓને એ કઈ આચાર નથી કે ઔષધ, જડીબુટ્ટી વગેરે આપે.” મયણાને ઉદ્દેશીને ગુરૂભગવંત કહે છે – ગુરૂ કહે દુઃખ ન આણજે, ઓછું અંશ ન ભાવે રે; U. ચિંતામણિ તુજ કર ચઢયો, ધર્મ તણે પ્રભાવે રે. -- -- - - - -- - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy