SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - Think only about God. આપણે પણ મંદિરમાં ||જઈ પરમાત્માનું સ્તવન ગાઈએ છીએ. “પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ” વગેરે. પરંતુ મુકેલ સંજોગો આવતાં ભયગ્રસ્ત બની જઈએ છીએ. ચિંતાતુર બની જઈએ છીએ. પરમાત્માનું નામ લેવાથી આનંદને કંદ પ્રાપ્ત થાય છે તે માત્ર બોલવા પૂરતું જ આપણું જીવનમાં છે. તેને અનુભવ આપણે કરવાનું બાકી છે. મયણાસુંદરીએ પરમાત્માની શક્તિનું સ્થિરતાપૂર્વક ચિંતન કર્યું. (૫) પરમાત્માની શક્તિનું ચિંતન કરતાં કરતાં મયણાનું મન પરમાત્માના ધ્યાનમાં લીન બની ગયું. પરમાત્માના ધ્યાનમાં મયણાનું મન શાંત થઈ ગયું. કાર્યસિદ્ધિનું પાંચમું પગથિયું છે “મનની શાંત અવસ્થામાં. Silence of Mind. When human mind is silent then divine mind is in Active expression. જ્યારે મનુષ્યનું મન શાંત થાય છે ત્યારે આત્મશક્તિ જાગૃત થાય છે, અને તે દ્વારા આપણે ગમે તેવા મુશ્કેલ સંજોગોમાંથી માર્ગ શોધી શકીએ છીએ. ગમે તેવા મહાન કાર્યો સિદ્ધ કરી શકીએ છીએ. મયણાસુંદરીએ જે પ્રક્રિયા ( Process ) દ્વારા કાર્ય સિદ્ધિ કરી તે જ પ્રક્રિયા દ્વારા આપણે પણ કાર્યસિદ્ધિ કરી Uશકીએ છીએ. - - - - - --- - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy