SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરીને નિરંતર સધર્મ -કર્મમાં રક્ત રહેવું. પછી ચાર પ્રકારના ધર્મનું વર્ણન કરતાં કહે છે કે, દાન, શીલ, તપ અને ભાવ નામના ચાર પ્રકારના ધર્મમાં ભાવ ધર્મ મુખ્ય છે. ભાવ વગરનું કરેલું દાન, શીલ કે તપ નિષ્ફળ જાય છે અને ભાવવૃદ્ધિનું કારણ બને છે. માટે દાન, શીલ, તપ આદિ ધર્મના અનુષ્ઠાન ભાવપૂર્વક કરવાં જોઈએ. ભાવ એ મનને વિષય છે. આલંબન વગરનું મન અતિદુર્જાય છે. તે મનનું નિયમન કરવા માટે સાલંબન ધ્યાન બતાવ્યું છે. મનના બે પ્રકારના દેષ છે. એક ચંચળતા અને બીજું મલિનતા. મન ચંચળ હોવા છતાં જે મનને અનુકૂળ કે ગમતું આલંબન મળે તો તે સ્થિર થઈ શકે છે, પણ જે આલંબન અશુદ્ધ હોય તો મન મલિન થાય છે. ધન, સ્ત્રી આદિ જગતના આલંબનો મનની મલિનતામાં વૃદ્ધિ કરે છે. માટે મલિનતા દૂર કરવા અને ચંચળતાને બદલે સ્થિરતા લાવવા મનને શુદ્ધ આલંબનને વિષે બાંધવું જોઈએ. એવાં શુદ્ધ આલંબને જિનશાસનમાં અનેક પ્રકારનાં છે. તેમાં નવપદ એ સર્વ શ્રેષ્ઠ આલંબન છે, માટે આપણે નિરંતર નવપદનું ધ્યાન કરવું જોઈએ. નવપદના ધ્યાનથી આત્મામાં ભાવ ધમ ઉત્પન્ન થાય છે. ભાવ સહિત કરેલ સર્વ ધર્માનુષ્ઠાને મેક્ષના હેત બને છે. ટૂંકમાં શ્રી ગૌતમ ગણધર ભગ|Mવાનો આશય એ છે કે ધર્માનુષ્ઠાન તથા ધર્મની - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy