________________
૩૧૫ મહાવીરસ્વામીએ આ રીતે નવપદનું ધ્યાન અને આરાધના બતાવી છે.
આ રીતે પ્રભુ વીર ભગવાને આત્મામાં નવપદનું સ્વરૂપ બતાવ્યું.
“સિરિ સિરિવાલ કહા ” માં કહ્યું છે કે " एवं च मंथुणंतो सो जाओ नवपरसु लीणमणो । जहकहति जहा पिक्खइ-अप्पाणं तन्मयं चेव ॥ एवं च हिए अप्पाणमेव नवपयमयं वियाणित्ता । अप्पम्मि नेव निच्च लीणमणा होह भो भविया ॥
અર્થ : આ પ્રમાણે શ્રી નવપદજીની સ્તુતિ કરતાં તે શ્રીપાલ મહારાજા નવપદમાં લીન થયા. જે પણ વસ્તુને તે જ્યાં જુએ, ત્યાં તેમને નવપદ જ દેખાતાં....અને આગળ વધી તન્મયભાવ સિદ્ધ થતાં તેમને પોતાના આત્મા પણ નવપદમય દેખાતો. માટે હે ભવ્ય જીવો ! તમે પણ આ રીતે હમેશાં તમારા આત્માને નવપદમય જાણી, આત્મામાં લીન મનવાળા બનો.
જૈન દર્શનની જે મહાન ધ્યાનપ્રક્રિયા અહીં પ્રભુ મહાવીરસ્વામીએ બતાવી, તેમાં મુખ્ય ચાર મુદ્દા--(૧)
આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા (૨) આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મા (૩) અરિહંતાકાર ઉપગ અને (૪) ઉપયોગાકાર આત્મા છે. તેમાં આપણે પુરૂષાર્થ અરિહંતાકાર ઉપયોગ બનાવવામાં વાપરવાનો છે. પ્રભુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org