________________
-
-
ન-
-
- -
-
-
--
--
--
-
-
૩૧૩
---
-
-
આત્મસ્વરૂપના અનુભવનું જે સુખ છે તેની તુલનામાં જગતનું કેઈ સુખ આવી શકતું નથી. અને આવા સુખનો જીવનમાં અનુભવ થયા પછી જગતના કેઈ પદાર્થની ઈચ્છા રહેતી નથી. સત્તામાં પડેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે પણ જે સાધક આત્મા રાગ-દ્વેષ રૂપે, સુખ-દુઃખ રૂપે પરિણમતું નથી, પણ સમતાભાવમાં પરિણમે છે–તે આત્મા જે નિજ ગુણના ભાગમાં પ્રવર્તે છે–તે આત્મા જ તપ છે.
નિજ ગુણને ભેગ આત્મા કેવી રીતે કરતે હશે? સાતમા સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા પરમાત્મા પરમાનંદનો ભેગ કેવી રીતે કરે છે. તે બતાવે છે. અનંત ભગગુણ પરમાત્મામાં પૂર્ણ પણે પ્રગટ થયેલ છે; તે પરમાત્મા શાને ભેગ કરે છે? આત્માના ગુણોને (નિજ ગુણને ) ભાગ કરે છે. આત્મામાં રહેલા અનંત ગુણો એકબીજાને સહકારી હોય છે. નિજ ગુણના ભેગમાં અનંતવીર્ય ગુણ સહકારી બને છે, તેથી અનંત આસ્વાદપૂર્વક નિજ ગુણને ભેગ શુદ્ધ આત્મામાં હોય છે. વળી તેમાં ચારિત્રગુણ સહકારી બને છે. ચારિત્રનું કાર્ય રમણતા કરવાનું હોય છે. તેથી અનંત રમણતાપૂર્વક, અનંત આસ્વાદપૂર્વક, અનંત ગુણોના, અનંત ભેગના પરમાનંદનું અનંત સુખ પરમાત્મામાં પૂર્ણપણે અવ્યાબાધપણે રહેલું છે. આવા પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું દિવ્ય સુખમય સ્વરૂપ જોઈને આપણને આપણું
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org