________________
उ०६
છે; એટલે આત્મા જ્યારે અરિહંતાકાર બનેલા પિતાના પર્યાયનું ધ્યાન કરે છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણે એક થઈ ગયાં. એટલે કે –
(૧) ધ્યાન કરનારો આત્મા તે દ્રવ્ય.
(૨) ધ્યાતાને પોતાને અરિહંતાકાર બનેલે પર્યાય તે ધ્યેય. અને
(૩) ધ્યાન પણ આત્માના ગુણેના સ્વરૂપનું જ છે.
આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય – ત્રણેની એકતા થાય છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય – ત્રણેની એકતા એટલે સમાપત્તિ થાય છે. જ્યારે આત્મા આત્માનું જ ધ્યાન કરે છે, ત્યારે સર્વ આત્મસિદ્ધિઓ આવીને મળે છે. માટે પહેલાં જ પ્રભુએ કહ્યું કે –
ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણુ.” સિદ્ધપદનું ધ્યાન – રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણું રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધગુણ ખાણી રે.
વીર જિનેશ્વર ઉપદિશે. કેવળજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, નિરંજન, નિરાકાર, અવ્યાબાધ સુખસ્વરૂપ, અનંત, આનંદમય, અચિંત્ય શક્તિ યુક્ત, નિરાકાર જોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંતની ધારણું કરવી.
તે પછી આવા સિદ્ધભગવંતનું ધ્યાન કરવું. ધ્યાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org