SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય – પરમાત્મામાં તન્મય - તદ્રપ થઈ જાય છે, તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલા સમય પૂરતું ધ્યાતા આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ બને છે. ઉપરની પ્રભુ મહાવીરની દેશનામાં સાલંબન ધ્યાન બતાવ્યું છે. તે આપણે વિગતથી સમજીએ. ચેતનાના ઊર્વગમનના મહાન પ્રકિયા :– આપણા ચૈતન્યમાં આકારોની ભીડ જામી છે. જેવા વિચારો આપણે કરીએ છીએ, તેવા આકાર આપણુમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય મોટા ભાગે પૈસાના વિચાર કરે છે, અને તેવા આકારે તેના ચેતન્યમાં ઉત્પન્ન થાય છે. ખાવાના, પીવાના. વના, બંગલાના, ગાડીના, ફર્નિચરના વિચાર કરે છે અને તેવા આકારે તેનામાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીના, પુત્રના, પરિવારના, સગાવહાલાંના તે વિચારો કરે છે, અને તેવા આકારવાળે બને છે. જે વસ્તુના ઉપયોગમાં આપણે હોઈએ છીએ, તેવા આકારવાળા આપણે બનીએ છીએ. પરમાત્માના ઉપયોગમાં સ્થિર બનીએ, તે પરમાત્માના આકારવાળે આપણે આત્મા (આગમથી ભાવનિક્ષેપે) બને છે. જગતના આકારના સ્થાને પરમાત્માના આકારે આપણું ચૈિતન્યમાં ઉપસાવવા તેને જ્ઞાની પુરુષે સાલંબન ધ્યાન કહે છે. - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy