________________
- નાના નાના
નવપદમાં આત્માને સહેલાઈથી સમજવા માટે એક દષ્ટાંત જોઈએ – - એક શેઠ જિનમંદિરમાં પૂજા કરવા માટે ગયા. તેમના ઘેર મહેમાન આવ્યા. મહેમાને શેઠાણને પૂછ્યું કે, શેઠ
ક્યાં ગયા છે? શેઠાણીએ કહ્યું કે શેઠ અત્યારે વકીલને ઘેર ગયા છે. થોડી વારમાં શેઠ જિનમંદિરથી પૂજાના કપડામાં પૂજાની સામગ્રી સાથે ઘેર આવ્યા. મહેમાને જિનમંદિરેથી શેઠને આવતાં જોઈને શેઠાણને કહ્યું કે શેઠ તે જિનમંદિરથી આવે છે! ત્યારે શેઠાણીએ કહ્યું કે શેઠને પૂછે ઃ જિનમંદિરમાં હતા, તે વખતે તેમનું ધ્યાન ક્યાં હતું? શેઠે કબૂલ કર્યું કે તે મંદિરમાં હતા, ત્યારે તેમનું ધ્યાન કેઈની પાસે પૈસા લહેણા હતા તે વસૂલ કરવા માટે વકીલની સલાહ લેવામાં હતું. શેઠ હતા તે જિનમંદિરમાં, પણ તેમનું ધ્યાન, તેમને ઉપયોગ (Attention) વકીલમાં હતું. તેથી શેઠ વકીલને ઘેર ગયા હતા, તેવું આપણે કહીએ છીએ. એટલે જ્યાં ઉપયોગ ત્યાં આત્મા. જેમાં ધ્યાન તેમાં આત્મા–આ નિયમ આમાંથી નીકળે છે.
હવે આપણો ઉપયોગ, આપણું ધ્યાન નવપદમાં હોય ત્યારે, આપણો આત્મા ક્યાં છે? એને ઉત્તર સ્પષ્ટ છે કે જ્યારે આપણે આપણે ઉપગ નવપદમાં લીન કરીએ છીએ ત્યારે આપણે આત્મા નવપદમાં છે.
હવે, આત્મામાં નવપદે કેવી રીતે છે તે દષ્ટાંતથી
નાના નાના
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org