________________
૨૮૮
અનંતલઘિના નિધાન ગૌતમ ગણધર ભગવતે શ્રેણિક પ્રમુખ પર્ષદાની સમક્ષ આ પ્રમાણે શ્રીપાલનું દષ્ટાંત કહ્યું અને હવે છેલ્લે કહે છે કે, આ પ્રમાણે નવપદના ધ્યાનમાં તદ્રપ બનેલા શ્રીપાલ મહારાજા આયુષ્ય પૂર્ણ થતાં નવમાં દેવલોકમાં ગયા. મયણાસુંદરી વગેરે નવ રાણુઓ અને શ્રીપાલના માતાજી પણ નવપદના ધ્યાનમાં લીન બની ગયાં અને કમસર આયુષ્ય પૂર્ણ થતાં નવમા દેવકને પામ્યાં.
તે પછી શ્રીપાલ, તેમના માતા અને મયણા આદિ નવ રાણીઓ - આ અગિયારે જણા નવમા દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યજન્મ પામશે. તેમાં અધિક સંપત્તિઓ અને સિદ્ધિઓને પ્રાપ્ત કરશે. અધિક રીતે નવપદની આરાધના કરી દસમા દેવલોકમાં જશે. ત્યાંથી પાછા મનુષ્યજન્મ પામીને, અધિક આરાધના કરીને, અધિક સંપત્તિ પામીને અગિયારમા દેવલેકમાં જશે. ત્યાંથી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી, અધિક આરાધના કરી બારમા દેવલોકમાં જશે. અને છેલ્લા નવમા ભવે મનુષ્યજન્મ પામી, સર્વ સંપત્તિનો અને વૈભવને ત્યાગ કરી, બાહ્ય-અત્યંતર નિગ્રંથ બની, વિશેષ આરાધના કરી, શુકલધ્યાન આરોહણ કરી, શુદ્ધ આત્મસ્વરૂપને સંપૂર્ણપણે પ્રગટ કરી મોક્ષમાં જશે.
તે વખતે જ ત્યાં દેવદુંદુભિ વાગી અને અનંત કરૂણા નિધાન પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા. દેવે સમવસરણ રચ્યું, અરિહંતાજી;
કુસુમ વૃષ્ટિ સિંહા કીધ રે, ભગવંતાજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org