SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા સાથે આત્મદ્રવ્યનું સાધર્મિકપણું ખ્યાલમાં લાવીને, પિતાની અંદર અનંત સુખ અને આનંદનું નિધાન રહ્યું છે તેવી ઓળખાણ સાધકને થાય છે. “ઓળખતાં બહુ માન સહિત રુચિ પણ વધે, રુચિ અનુયાયી વીર્ય ચારધારા .” આજ સુધી આદર-બહુમાન પુદગલનું છે, રુચિ પરપુદ્ગલની છે, વીર્ય પરઅનુયાયી છે, રમણતા પરવસ્તુમાં છે, આપણી આખી ચેતના પુગલ અનુયાયી બની ગઈ છે. તે ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવા માટે જેનું સંપૂર્ણ શુદ્ધ પરમાનંદ સ્વરૂપે પ્રગટ થયું છે, તેવા પરમાત્માનું આલંબન લેવું પડે છે. પરમાત્માસ્વરૂપને અવલંબેલું આપણું ચૈિતન્ય, પરમાત્મ ગુણોના રંગે રંગાયેલી આપણે ચેતના, પરમાત્મગુણ રસિક બનેલી આપણી ચેતના છેવટે આત્મસ્વરૂપ અનુયાયી બની શકે છે. તેથી પરમાત્મા મોક્ષ પ્રાપ્તિના પુષ્ટ નિમિત્ત છે. તે જ એક આધાર, પ્રાણ, ત્રાણ, શરણ છે. તે જ એક દર્શન, પૂજન, વ દન, સ્તવન, ધ્યાન, મારગુ કરવા લાયક છેતેવા ભાવ પ્રગટ થતાં અનાદિથી પુદ્ગલ અનુયાયી બનેલું ચિતન્ય, પરમાત્મા તરફ આદર, બહુમાન, રુચિવાળું બને છે. પરમાત્માના ગુણેમાં રુચિ થતાં, “રુચિ અનુયાયી વીર્ય” તે નિયમ મુજબ આત્માની બધી શક્તિઓ પરમાત્માની દિશામાં કાર્ય શીલ બને છે. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, _શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીન. E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy