SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ २७ट અને સુખનો મહાસાગર ભરેલો પડે છે તેનું ભાન થતાં, તે આનંદની પ્રાપ્તિ માટે તાલાવેલી લાગે છે. જગતના પદાર્થોમાં સુખ માનીને આપણું મન દે છે; પરંતુ આ પ્રયોગથી આત્મામાં રહેલ પૂર્ણ સુખ અને આનંદના મહાસાગરનો અનુભવ થાય છે. તેમાં મનની ગતિ (ઉપયોગ) આનંદના મહાસાગર એવા આત્મા તરફ થાય છે, અને દિવ્ય આનંદ અનુભવીને બહાર આવેલું આપણું મન ફરી ફરીને તે દિવ્ય આનંદને ઝંખે છે. મનનું આકર્ષણ જગતના પદાર્થોને બદલે પરમાત્મા અને આત્મા તરફ થાય છે. જશ પ્રભુ ધ્યા, મહારસ પાયે, અવર રસે નહિ રાચું; અંતરંગ ફરો દરિશન તેરે, તુજ ગુણ રસ સંગ માચું. પરમાત્માના ધ્યાનથી પરમ સુખનો રસ અનુભવાય છે, ત્યારે જગતના પદાર્થોનાં સુખને રસ ઘટી જાય છે. છેવટે એ નાશ પામે છે. પરમાત્માના આલંબને દિવ્ય રસ અનુભવવા માટેની ઝંખના ચાલુ જ રહે છે. તેથી પરમાત્માનું સ્મરણ-ધ્યાન સહજ બની જાય છે. ખાસ નોંધ :-સમ્યગદર્શન સમયે આત્મસ્વરૂપની પ્રતીતિ અને કિંચિત્ અનુભવ થાય છે. આત્મસ્વરૂપના આનંદનો છેડે રસ ચાખ્યા પછી જીવ નિરંતર તેની ઝંખના કરે છે. આત્મરમણતાને પરમાનંદ તે સર્વ સંગ છેડયા પછી u ચારિત્રધર્મમાં જ મળે. તે કારણે ચારિત્રપદ પ્રાપ્તિની ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy