________________
२७ट
અને સુખનો મહાસાગર ભરેલો પડે છે તેનું ભાન થતાં, તે આનંદની પ્રાપ્તિ માટે તાલાવેલી લાગે છે.
જગતના પદાર્થોમાં સુખ માનીને આપણું મન દે છે; પરંતુ આ પ્રયોગથી આત્મામાં રહેલ પૂર્ણ સુખ અને આનંદના મહાસાગરનો અનુભવ થાય છે. તેમાં મનની ગતિ (ઉપયોગ) આનંદના મહાસાગર એવા આત્મા તરફ થાય છે, અને દિવ્ય આનંદ અનુભવીને બહાર આવેલું આપણું મન ફરી ફરીને તે દિવ્ય આનંદને ઝંખે છે. મનનું આકર્ષણ જગતના પદાર્થોને બદલે પરમાત્મા અને આત્મા તરફ થાય છે. જશ પ્રભુ ધ્યા, મહારસ પાયે, અવર રસે નહિ રાચું; અંતરંગ ફરો દરિશન તેરે, તુજ ગુણ રસ સંગ માચું.
પરમાત્માના ધ્યાનથી પરમ સુખનો રસ અનુભવાય છે, ત્યારે જગતના પદાર્થોનાં સુખને રસ ઘટી જાય છે. છેવટે એ નાશ પામે છે. પરમાત્માના આલંબને દિવ્ય રસ અનુભવવા માટેની ઝંખના ચાલુ જ રહે છે. તેથી પરમાત્માનું સ્મરણ-ધ્યાન સહજ બની જાય છે.
ખાસ નોંધ :-સમ્યગદર્શન સમયે આત્મસ્વરૂપની પ્રતીતિ અને કિંચિત્ અનુભવ થાય છે. આત્મસ્વરૂપના આનંદનો છેડે રસ ચાખ્યા પછી જીવ નિરંતર તેની ઝંખના કરે છે.
આત્મરમણતાને પરમાનંદ તે સર્વ સંગ છેડયા પછી u ચારિત્રધર્મમાં જ મળે. તે કારણે ચારિત્રપદ પ્રાપ્તિની !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org