________________
૨૭૩
પરમાનંદના કંદ છે અને અનંત ગુણના વૃંદ છે. સર્વ જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે................. .... સર્વનું કલ્યાણ-મંગળ થાઓ. સૌને આનંદ થાઓ.
સર્વ જીવો પ્રભુની કરૂણાના પાત્ર છે, તેથી મારા પરમ બાંધવ છે.
| સર્વ જીવ ઉપર કરૂણાને વરસતી જેવી.....પ્રભુની કરૂણામાં આપણે કરૂણાભાવ ભેગો ભળ્યો છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણે બિન્દુરૂપ ભાવ ભળી જાય છે.
ઉદક બિન્દુ સાયર ભર્યો.” (In tune with Infinite ) આવી અવસ્થા છે.................(આવું સંવેદન કરવું.) આપણું અલગ વ્યક્તિત્વ એગળી ગયું છે...... સમષ્ટિમાં આપણે ભળી ગયા છીએ............. વિશ્વમય પરમાત્મા એ આપણું સર્વસ્વ છે. મિત્રીભાવને પરમ આનંદ આપણે અનુભવીએ છીએ...
નોંધ –આ રીતે મિત્રીભાવનાનું ધ્યાન કરવાથી જગતના જીવ પ્રત્યે સ્નેહપરિણામ – સર્વના હિતની બુદ્ધિ વધતી જાય છે. તેનાથી જીવનમાં અનુકંપા, દયા, દાન, પરોપકાર આદિ ગુણે ખીલે છે. છેવટે તે જગતના જીવે પ્રત્યેને આત્મસમાન ભાવ, અહિંસાદિ વતે, ક્ષમાદિ ધર્મો, સમિતિ, ગુતિના પાલનમાં પરિણમવા રૂપ ચારિત્રધર્મને ખેંચી લાવે છે.
##
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org