________________
२९
અને જ્ઞાનને ઉપગ કરે છે, ત્યારે તે સમ્યગદર્શન ગુણ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે.
સમ્યગદર્શનની બીજી ભૂમિકા પણ એટલી જ સહેલી છે. “શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પરીક્ષા સહણું પરિણામ.” સુદેવ, સુગુરૂ, સુધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા તે સમ્યગદશનની બીજી ભૂમિકા છે.
સમ્યગદર્શનની ત્રીજી ભૂમિકા આત્મ અનુભવરૂપ સમ્યગ્ગદર્શન છે. આતમજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ.”
(પદ્મવિજય કૃત સમ્યગદર્શનની પૂજા.) આ આત્મ અનુભવરૂપ સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે મોહનીય કર્મની સાત પ્રકૃતિને સોપશમ થવું જરૂરી છે. ( પશમ સમકિત વખતે સમકિત મોહનીયને ઉદય અને બીજી છ પ્રકૃતિને પશમ હેય છે.) તે માટે જડ અને ચૈતન્યના ભેદવિજ્ઞાનની જરૂર પડે છે. પુદ્ગલ વિનાશી છે, હું અવિનાશી છું. પુદ્ગલનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ છે, મારું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે. પુદ્ગલ જડ છે, હું ચિતન્ય સ્વરૂપ છું. આવું જડ-ચેતન્યનું ભેદવિજ્ઞાન દર્શન મોહિનીયના ક્ષયપશમનું કારણ છે. તેમાં પુદ્ગલથી ભિન્નતા ભાવિત થાય છે. પુદ્ગલથી લક્ષણભેદે ભિન્ન છું, એમાં ચિતન્યથી એકતા
ભાવિત થાય છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ Lમારું સ્વરૂપ સત્તાએ છે અને મારી અંદર જેવું ચેતન્ય ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org