SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ દશન છે. સમ્યગ્ગદર્શન ગુણના અધિકારી બનવા માટે આપણને આ જીવનમાં જે જ્ઞાન અને શ્રદ્ધા મળ્યાં છે તેનું માપ કાઢવું જોઈએ. મેટા ભાગે મનુષ્ય પોતાને મળેલાં જ્ઞાન અને બુદ્ધિના અહંકારમાં રાચતો હોય છે. ચાર દિવસ પહેલાં બપોરે કહ્યું ભોજન કર્યું હતું ? ભીંતની પાછળ શું છે? ક્ષણ પછી શું બનવાનું છે? પોતાના ઘરની સીડીનાં કેટલા પગથિયાં છે? આટલું પણ જેને જ્ઞાન નથી, તેવો મનુષ્ય આ બુદ્ધિવાદના જમાનામાં પિતાને મળેલ અલ્પ જ્ઞાન અને બુદ્ધિ ઉપર મુસ્તાક હોય છે. પરંતુ બીજ બુદ્ધિના ધણી ગૌતમ ગણધર ભગવંતની બુદ્ધિ પાસે આપણી બુદ્ધિ કેટલી ? અતિ અ૫. કેવળજ્ઞાની ભગવંતના જ્ઞાનની પાસે આપણું જ્ઞાન કેટલું? અતિ અલ૫. આવી આ પણ અલ્પ બુદ્ધિ અને અ૫ જ્ઞાનના મદમાંથી છૂટવા માટે શું કરવું? અતિ નિર્મળ બુદ્ધિ અને પરિપૂર્ણ જ્ઞાનને વરેલા પરમાત્માનું આલંબન લેવું અને તેમના પરિપૂર્ણ જ્ઞાન પાસે પોતે કેટલે અલ૫ જ્ઞાનવાળે છે તથા પોતાની બુદ્ધિ કેટલી વિચિત્ર વાસનાઓથી ખરડાયેલી છે તેનું ભાન થતાં પરમાત્મા તીર્થકર દેવનું કથન એ જ તેની શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. “તક જ ના ૪ કિર્દિ ?” એ ભાવ પ્રગટ થવ શરૂ થાય છે. પિતાની બુદ્ધિ અને જ્ઞાનને અહંકાર છેડીને મનુષ્ય જ્યારે વીતરાગ સર્વજ્ઞ તીર્થકર પરમાત્માએ કહેલાં તત્તવને સમજવા માટે પોતાની બુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy