________________
૨૬૬
શાંત થઈ ગયા છે અને જેમની પાસે જનારના ભવ દાવાનળ પણ શાંત થઈ જાય છે, જે આત્મસાધનામાં સદા રક્ત છે તેવા સાધુ ભગવંતાની આપણે ઉપાસના કરવાની છે. મુનિરાજ કરૂણાસિંધુ ત્રિભુવન—ખ' પ્રણમું હિત ભણી,
(સાધુ પદની પૂજા.) મુનિરાજ કરૂણાના સિંધુ છે. ત્રણુ જગતના પરમ આંધવ છે. સૂરિ પુર'દર હરિભદ્રસૂરિ મહારાજા લલિત વિસ્તરા” ગ્રંથમાં ‘ ધમ્મદયાણ‘’ પાઠની ટીકામાં સાધુપદની વ્યાખ્યા કરે છેઃ
ઃઃ
सामायिकादिगत विशुद्धक्रिया अभिव्यंग्य सकल सत्त्वहिताशय अमृत लक्षण स्वपरिणाम एव साधुधर्मः ।
સર્વ જીવાના હિતના આશયરૂપ આત્મામાં ઉત્પન્ન થયેલા ( અજરામર પદને અપાવવાવાળા) અમૃતલક્ષણ પરિણામને સાધુ ભગવંતા સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયા દ્વારા અભિવ્યક્ત કરે છે. તેવા સાધુભગવંતા સાધુધનું પાલન કરનારા, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા અને દશ પ્રકારના યતિધર્મનું વહન કરનારા છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતાષ, સત્ય, શૌચ, અકિંચન, તપ, સંયમ, બ્રહ્મચય –આ દશ પ્રકારના ધર્મોને સાધુ ભગવંતા જીવનમાં ધારણ કરે છે. દશ પ્રકારના ધર્મના પ્રભાવનુ વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજા યોગશાસ્ત્રના ચાથા પ્રકાશમાં ધમ ભાવનાના અધિકારમાં કહે છે : “ આ પૃથ્વી નિરાધાર ટકી રહી છે, સૂર્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org