SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શાંગી – શ્રતજ્ઞાનનું અધ્યયન કરનારા અને કરાવનારા છે. ઉપાધ્યાય ભગવંતેના હૃદયમાં એવા પ્રકારને કરુણભાવ હોય છે કે મૂખ એ મનુષ્ય પણ જે ઉપાધ્યાય ભગવંતને શરણે જાય તે પંડિત બને છે. પથ્થર જે જડ મનુષ્ય પણું ઉપાધ્યાય ભગવંતની ઉપાસના કરે તો તેનામાં પણ જ્ઞાનરૂપી અંકુરા ઊગે છે. “જે વિક્ઝાય સદા તે નમતાં, નાવે ભવભય રોગ”, આવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરવાથી ભવભયને શોક અને ચિંતા ચાલ્યાં જાય છે. સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતા જીવ જ્યારે ઉપાધ્યાય ભગવંતના શરણે જાય છે ત્યારે બાવનાચંદનની જેમ શીતળતાનો અનુભવ કરે છે. આથી ઉપાધ્યાય ભગવંતેની આપણે ઉપાસના કરવાની છે. તેનો મંત્ર છે-“» હી નમે ઉવજઝાયાણું.” ઉપાધ્યાય ભગવંતની ઉપાસના કરવાથી જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન આપણે પુસ્તકમાંથી, શિક્ષકો પાસેથી અગર બીજે ગમે ત્યાંથી મેળવી શકીએ છીએ, પરંતુ તે જ્ઞાન મેક્ષહેતુક બની શકતું નથી. ઉપાધ્યાય ભગવંતની ઉપાસના દ્વારા તેમને જે અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તે અનુગ્રહ દ્વારા જે થે ડું પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તે પરિણત જ્ઞાન થાય છે અને મેક્ષહેતુક બને છે. ઉપાધ્યાયપદનું ધ્યાન — નીલમ રત્નના વર્ણવાળા ઉપાધ્યાય ભગવાન આપણી! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy