SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આવું દશ્ય નજરની સામે રાખી “જી હી નમે અરિહં. તાણું' પદનો જાપ કરો. જાપની એક માળા થયા પછી પણ ઉપરનું દૃશ્ય નજર સામે રાખી પ્રભુની કરુણામાં થોડો | સમય સ્નાન કરવું. વિશેષ વિગતવાર પ્રયોગ આ પુસ્તકમાં પાના નં. ૧૬૮ થી ૧૭૧ ઉપર છે. સિદ્ધપદ :– સિદ્ધ ભગવંતો સર્વ કર્મ આવરણથી મુક્ત બનેલા છે. તેઓ અનંત, અવ્યાબાધ, સ્વતંત્ર, સ્વાધીન એવા સુખમાં સદા નિમગ્ન છે, નિષ્કલંક છે; નિરામય છે અને અનર્ગળ આનંદના દિવ્ય ભંડાર છે. સ્વરૂપમાં રમનારા, સ્વરૂપના ભેગી અને સ્વરૂપસ્થિરત્વવાળા સચિદાનંદ રૂપ છે. - અનંત સિદ્ધ ભગવંતે તેમના કેવળજ્ઞાનમાં વિશ્વના સર્વ જડ-ચેતન્યના ત્રણે કાળના સર્વ પર્યાયોન જુએ છે અને જાણે છે. પરંતુ જગતના માણસોની જોવાની રીત જુદી છે, અને પરમાત્માની લેવાની રીત જુદી છે. પરમાત્મા કઈ દષ્ટિથી જગતને જુએ છે. તે શ્રી દેવચંદ્રજી મહારાજ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં આ પ્રમાણે કહે છે : “તુમ પ્રભુ જાણંગ રીતિ સર્વ જગ દેખતા, નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા, પર પરિણતિ અષપણે ઉવેખતા.” અનંત સિદ્ધ ભગતે અત્યારે જ આપણને જોઈ રહ્યા છે, પરંતુ તે આપણું વિભાવદશા, દોષભરી હાલત, ચરપરિણુતિઓ વગેરે પાપથી ખરડાયેલી આપણી વર્તમાન | - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy