SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - रद કેવળજ્ઞાનીએ એમના જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે ચાલે છે. તેમના જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ છે, એવું એક નયથી કહી શકાય. એટલે આપણે કેવળજ્ઞાન પ્રગટ કરીએ. તો આપણું જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ ચાલે. આ રીતે આપણું મૂળ રૂપ જે અનંતજ્ઞાન, અવ્યાબાધ સુખ, અનંત આનંદ, અનંત શક્તિમય અને શાશ્વત છે, તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રયજન સિદ્ધ થાય છે. માટે આત્મસ્વરૂપે પ્રગટ કરવું તે જ પરમ ધ્યેય-લક્ષ્ય છે. પૂર્ણપણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આજે આપણી પાસે પરિપૂર્ણ સામગ્રી નથી. માટે વર્તમાન જીવનનું ધ્યેય – લક્ષ્ય આત્મઅનુભવ કરે અને હવે પછીના જન્મનું લક્ષ્યાંક પૂર્ણ આત્મચેતન્ય પ્રગટ કરવું તે છે. આટલું લક્ષ્યાંક નક્કી કરીને સાધના થાય તેને પ્રણિધાન કહેવાય. આવા આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક વગર દુન્યવી સિદ્ધિઓ માટે અનેક અભવીએ પણ સાધના કરી છે, પરંતુ તેમનું ભવભ્રમણ મટતું નથી. માટે શુદ્ધ લક્ષ્યપૂર્વક આરાધના કરનાર આ જન્મમાં પણ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવને પરમાનંદ પ્રાપ્ત કરી શકે છે અને છેવટે સર્વ કર્મ ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. સફળ હુએ સવિ નૃપ શ્રીપાલને, દ્રવ્ય ભાવ જસ શુદ્ધ મત કઈ રાચે રે કાચો મત લેઈ, સાચે બિહુ નય બુદ્ધ. રાસના રચનાર ઉપાધ્યાય થશેવિજયજી મહારાજા I કહે છે : આ સર્વ આરાધના શ્રીપાલ રાજાને સફળ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy