SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ હવે શ્રીપાલ મહારાજા તપનુ ઉજમણું કરે છે. તપ ઉજમણુ રે એણી પેરે કીજીએ, જિમ વિરચે ૨ શ્રીપાલ; તપ ફળ વાધે રે ઉજમણે કરી, જેમ જલ પંકજ નાલ. શાસ્ત્રકાર મહર્ષિ આપણને બધાને કહે છે-જે પ્રમાણે શ્રીપાલ મહારાજાએ તપનુ' ઉજમણું કર્યુ, તે પ્રમાણે હે ભવ્ય આત્મા ! તમે પણ ઉજમણું કરી. ઉજમણાથી તપના ફળમાં વૃદ્ધિ થાય છે. જેમ પાણી વડે કમળની નાળ વૃદ્ધિ પામીને કમળ જળની બહાર આવે છે, તે રીતે ઉજમણાથી તપના ફળમાં વૃદ્ધિ થાય છે. શ્રીપાલ મહારાજા ઉજમણામાં સિદ્ધચક્ર મહાપૂજન કરે છે. જિનમદિરના વિશાળ મંડપમાં ત્રણ વેદિકા બનાવે છે અને તેમાં બિરાજમાન પરમાત્માની આગળ ચિદ્ધચક્રના મડલની રચના કરે છેઃ પાંચ વરણના રે શાલિ પ્રમુખ ભલા, મોંત્ર પવિત્ર કરી ધાન્ય; સિદ્ધચક્રની રે રચના તિહ કરે, સંપૂરણ શુભ ધ્યાન. તપ ઉજમણુ રે એણી પેરે કીજીએ. પંચવણના ધાન્ય વડે શ્રીપાલ મહારાજા શુભ ધ્યાનપૂર્વક સિદ્ધચક્રના માંડલની રચના કરે છે. અરિહ'તાકિ નવપદને વિષે, શ્રીફલ ગેાલ વત, અરિહતા ક્રિક નવપદના વિષે ઘી અને ખાંડથી ભરેલા. શ્રીફળના ગાળા મૂકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy