SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ सह સમયે શ્રીપાલ મહારાજા અત્યંત વિનયને ધારણ કરતા અવધિજ્ઞાની મુનિરાજને વિનંતીપૂર્વક પૂછે છે – “હે ભગવંત! પૂર્વજન્મમાં મે એવું શું કર્યું હશે જેના કારણે મને બાળપણમાં કેદ્રને રેગ થયો ? વળી તે રેગનાશ પામ્ય, પગલે પગલે ઋદ્ધિસિદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરી, વળી દરિયામાં પડવું પડ્યું, ડુંબનું આળ આવ્યું, વગેરે અનેક વિચિત્ર પ્રકારના બનાવો મારા જીવનમાં બન્યા. તે હે પ્રભુ ! પૂર્વજન્મમાં મેં એવું શું કર્યું હશે જેના પરિણામે આ બધું બન્યું ?” તે વખતે અવધિજ્ઞાની મુનિરાજ શ્રીપાલ મહારાજાને પૂર્વજન્મ કહે છે – જીવને સંસારમાં કમને પરવશપણે સુખદુઃખ ભેગવવાં પડે છે. પ્રત્યેક જીવમાં આત્માની અનંત શક્તિ હોવા છતાં કર્મને પરવશપણે જીવન જીવવું પડે છે. આ શરીરમાં વધુ સમય રહેવાની આપણી ગમે તેટલી ઈચ્છા હોય તો પણ આયુષ્ય કર્મનાં દળિયાં પૂરા થાય છે, પછી એક ક્ષણ પણ આપણે તેમાં રહી શકતા નથી. કર્મની પરવશતાથી જીવને ચાર ગતિમાં ગમે ત્યાં જવું પડે છે. આ પ્રમાણે પીઠિકા કરીને હવે શ્રીપાલને પૂર્વજન્મ કહે છે. ભરતક્ષેત્રમાં હિરણ્યપુર નામનું નગર છે. તે નગરમાં શ્રીકાન્ત નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને બાલ્યાવસ્થામાંથી શિકારનું વ્યસન લાગ્યું છે. રાત અને દિવસ Uરાજનું મન શિકાર કરવામાં લાગેલું છે. જિE= - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy