SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ દાનંદ સ્વરૂપને પામે છે. –આ નવપદનું ધ્યાન કરવાથી આત્મસ્વરૂપ પ્રગટે છે. નવપદના ધ્યાન દ્વારા જેણે આત્મદર્શન કર્યું છે, તે ભવસમુદ્રથી પાર ઊતરે છે, અર્થાત્ મુક્તિને પ્રાપ્ત કરે છે. (Manifestation of Moksha (મોક્ષ). આ રીતે શ્રી નવકાર, નવપદે અને શ્રી સિદ્ધચક્રજી એ Entrance to Innermostઆત્મસ્વરૂપમાં પ્રવેશ કરવા, આત્મસ્વરૂપને અનુભવ કરવાનું દ્વાર છે. નવકાર અને નવપદોમાં જે તનું આરાધન થાય છે, તે સ્વરૂપે પૂર્ણ છે, તેની આરાધનાથી attention towards Absoluteness–પૂર્ણતા પ્રતિ ધ્યાન કેન્દ્રિત થાય છે. પૂર્ણતામાં સ્થિરતા પરિણામ પામે છે-existence in Eternity–થાય છે. નવપદની આરાધના એ (Royal Road to SelfRealisation) આત્મસાક્ષાત્કારનો રાજમાર્ગ છે : ચાગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહ તેણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે. ... –(ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ) જિનેશ્વર ભગવંતની દાતૃત્વ શક્તિ અને તેમના અનંત કરૂણામય સ્વરૂપને વિચાર કરીએ છીએ ત્યારે શ્રીપાલ અને મયણાની જેમ એક ક્ષણ પણ આપણે પરમાત્મને ન ભૂલીએ અને અરિહંત પરમાત્મા અને નવ પદને હદયમાં નિરંતર ધારણ કરી આપણે પણ આપણું Ll પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરીએ. == - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy