________________
૧૮૩
'
હે વત્સ! હે મારી વહાલી પુત્રવધૂ! તું જ્યારથી મારા ઘરમાં આવી છે ત્યારથી નિરંતર તારા મુખમાંથી અમૃત કરી રહ્યું છે. જયારે પણ તું કાંઈ બોલે છે ત્યારે સૌને આનંદ આપનારી બને છે. હે પુત્રી ! તું જ્યારે લગ્ન કરીને આવી તે વખતે તારો પતિ કોઢના રોગથી ગ્રસ્ત હતો. તે શ્રીપાલને તે નવપદની આરાધનામાં જોડ. નવપદના પ્રભાવથી શ્રીપાલની આબરૂ સર્વત્ર વિસ્તૃત બની, તેમાં મુખ્ય નિમિત્ત કારણ હે પુત્રી ! તું છે. તું મારા ઘરની પરમ લક્ષ્મી છે. તે આજે મન વચન અને કાયાના યોગ પૂર્વક ત્રિવિધે ત્રિવિધે પરમાત્માની ભક્તિ કરી છે. તારૂં વચન જરૂર પ્રમાણ થશે. તારે પ્રિયતમ તને હમણું જ પ્રાપ્ત થશે.
કરવા રે વચન પ્રિયાનું સાચ,
કહે રે શ્રીપાલ તે બાર ઉઘાડિયેજી. જાણે પિતાની પ્રિયતમાનું વચન સત્ય કરવા માટે ન હોય! તે રીતે બારણાની બહાર ઊભા રહીને સાસુ-વહુનો વાર્તાલાપ સાંભળી આનંદિત બનેલા શ્રીપાલ કહે છે: બારણું ખોલે” “કમળપ્રભા કહે, એ સૂતની વાણું,
મયણા કહે, જિનમત ન મુધા હુયે” તે વખતે અંદર કમળપ્રભા કહે છે: “આ તે મારા પુત્રના અવાજ છે. અત્યારે મધ્યરાત્રીએ તે ક્યાંથી આવ્યો? તે તો પરદેશ ગયેલે હતે.” મયણા કહે છે: “માતાજી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org