SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ દષ્ટાંત પૂરું પાડવા માટે શ્રીપાલને સમગ્ર રાસ આપણું જીવન બનવું જોઈએ. શ્રી નવકાર અને નવપદની આરાધનાને સંસારમાં સારભૂત માનીને સર્વ (જી)ને શુભના સંકલ્પપૂર્વક જેઓ આરાધે છે તેઓ નિકટભવી બનીને સર્વ અશુભના પારને પામે છે એમાં સંશય નથી. શ્રી નવપદજી તથા અહં–પરમાત્માના ધ્યાન વખતે સદા સર્વદા વિશ્વના જીની સાથે અભેદ અનુભવવાને અભ્યાસ પાડે જઈએ. અને તે દ્વારા ઈર્ષા, અસૂયા આદિ ભાવમળોને સર્વથા નાશ શિધ્રપણે થાય તેવી ભાવના કરવી જોઈએ. શ્રી નવપદજીના ભક્તો સાથે વિશેષ પ્રીતિ, ભક્તિ આદિ ભાવ કેળવવા જોઈએ. ધર્મ મહાસત્તાના ગુપ્ત સંકેતથી નવકાર અને નવપદના સાચા ભાવથી આરાધક બનવા અને બનાવવાના સંગે ગોઠવાતા જાય છે અને અધિકારી (ગ્ય) આત્માને તેના હથિયાર બનાવીને ધર્મ મહાસત્તા પિતાનું નિયત કાર્ય સદા આગળ ધપાવે છે. ધર્મ મહાસત્તાના નમ્ર સેવક બનવાનું બળ અને સત્ત્વ તે લઘુકમી આત્માઓમાં જ પ્રગટી શકે છે. શ્રીપાલ મહારાજાના રાસના ચતુર્થ. ખંડની તાવિક ઢાળનું સુંદર રીતે પરિશીલન થવાથી જરૂરી નમ્રતા અને ભક્તિ આપોઆપ પ્રગટે છે. શ્રીપાલરાજાના રાસના છેલ્લા કળશની ઢાળમાં આપેલે અનુભવ અને તેને મહિમા ખૂબ ખૂબ પરિશીલન કરવા જેવું છે - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy