________________
૧૭૪
- , with -
ક
-
*લ
-
-
*
- set
-
-
પરમાત્મા શક્તિના ભંડાર છે. (અનંત વીર્ય તે શક્તિ છે.)........... પરમાત્મામાંથી શક્તિને પ્રકાશ નીકળી આપણી અંદર ફેલાય છે..............
આપણે શક્તિ સ્વરૂપ બનીએ છીએ........... (આવું સંવેદન આપણને થાય છે.) પ. પરમાત્મા કેવળજ્ઞાન આદિ ગુણ સમૃદ્ધિના ભંડાર છે.
પરમાત્મામાંથી ગુણ સમૃદ્ધિના ફુવારા ઊડે છે અને આપણી અંદર ફેલાય છે................
આપણે સમૃદ્ધિથી ભરાઈએ છીએ........ આપણે સમૃદ્ધિવાન બનીએ છીએ..
હૃદયમાં બિરાજમાન પ્રભુના અનુગ્રહથી આપણે પ્રેમ આનંદ, સુખ, શક્તિ અને ગુણ સમૃદ્ધિથી પૂર્ણ ભરાઈ ગયા તેવા સંકલ્પપૂર્વક અનુભવ થઈ રહ્યો છે................
હૃદયમાં બિરાજમાન પરમાત્માનું આપણે ધ્યાન ધરીએ છીએ...પછી આપણે પ્રભુને વિનંતિ કરીએ છીએ—પ્રભુ ! મારી સાથે એકરૂપ થઈ પ્રસન્ન થાઓ. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ, ધારણ કરે છે.....
આપણું દેહ પ્રમાણ બની જાય છે.......
પરમાત્માના અસંખ્ય આત્મપ્રદેશે આપણું આત્માના અસંખ્ય પ્રદેશે સાથે એકરૂપ થાય છે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org