SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આના ઉત્તરમાં મહાપુરૂષે કહે છે, કે આ જીવનમાં આત્મસ્વરૂપને આંશિક અનુભવ કરી શકાય છે, એટલે કે આ જીવનનું યેય શકય આત્મઅનુભવ કરવો તે છે, અને જન્માંતરમાં અનુકૂળ સામગ્રી મળે ત્યારે પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે છે. આ દિશામાં આગળ વધવા માટે પરમ પૂજ્ય, ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભદ્ર કરવિજયજી મહારાજ સાહેબનું લખેલું સાહિત્ય વાંચવા ખાસ ભલામણ છે. આ પુસ્તક પણ તેઓશ્રીની પ્રેરણાનું ફળ છે. આમાં જે કંઈ સારું છે તે તેઓશ્રી પાસેથી મળેલું છે, તેઓશ્રીની કૃપાનું ફળ છે. આમાં જે કોઈ ત્રુટિ છે તે મારી પોતાની છે. સુજ્ઞ વાચક વર્ગને પ્રાર્થના કરું છું કે, આમાં રહેલી ત્રુટિઓ. તરફ મારું ધ્યાન દોરવા આપ અવશ્ય કૃપા કરશે. આ પુસ્તકના લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેની ત્રિવિધ ક્ષમા યાચું છું. પુસ્તકને વિષય શ્રીપાલ અને મયણનાં આધ્યાત્મિક રહસ્યો હેવાથી શ્રીપાલ અને મયણાનું કથાનક ગૌણપણે લખેલ છે. ગિરનાર મહાતીર્થમાં સહસાવનમાં ૨૦૪૦ ના ચૈત્ર વદ – અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા પછી, એક મહિના માટે કરૂણાસાગર નેમનાથ ભગવાનની પરમ પાવનકારી, પવિત્ર છત્રછાયામાં સાધના માટે ગિરનાર ઉપર રોકાવાને અણમોલ અવસર પ્રાપ્ત થયે, તે વખતે દેવગુરુની કૃપાથી આ પુસ્તક શ્રી નેમનાથ ભગવાનના કરૂણામય પ્રકાશમાં લખાયું છે. કૃપાનિધિ પરમાત્માને દિવ્ય પ્રકાશ આપણું સૌના હૃદયમાં નિરંતર પથરાત રહે એ જ અભ્યર્થના. લિ. બાબુભાઈ કડીવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy