SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - SUE ૧૫ - આ પુસ્તકમાં લખેલ કેટલીક વાત એવી છે કે, જે સાધનાથી જ સમજી શકાય તેવી છે. પૂજ્યગુરૂ ભગવંતે નવપદનું ધ્યાન સિદ્ધા કર્યું હતું અને તેમના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલ કેટલીક મૌલિક! અને તાત્ત્વિક વિચારણા આ પુસ્તકના ઉત્તરાર્ધમાં છે, જે સ્થિર ચિત્ત વિચારવા સાધનાપ્રેમી વાચકોને વિનંતી છે. શ્રી નવપદની આરાધને સમગ્ર જૈન સંઘમાં ઘણું જ વ્યાપક બની છે, તે સમયે આ પુસ્તક આપણું નવપદની આરાધનાને ભાવપૂર્વકની, ઉપગ જોડવા પૂર્વકની અને મોક્ષ હેતુક બનાવવા માટે પ્રેરણારૂપ બનશે. શ્રી પાલ અને મયણાની સાધનાનાં રહસ્યો આપણી આરાધનામાં પ્રાણ પૂરનાર બનશે. આત્માની અખૂટ સંપત્તિના ખજાનાને ખેલવાની દિવ્ય ચાવીરૂપ આ પુસ્તક વાચકેના કરકમલમાં મૂકતા દિવ્ય આનંદ અનુભવાય છે. જીવનમાં પરમ સુખ, દિવ્ય આનંદ અને શાંતિનો અનુભવ કરવાની મહાન કળાથી ભ૨પૂર આ પુસ્તક આપણા જીવનની અણમેલ સંપત્તિરૂપ છે. જૈનશાસનની કેઈપણ ક્રિયા–પછી તે દર્શનની હેય, પૂજનની હેય, શાસ્ત્ર ભણવાની હેય, તપની હેય, કે સંયમ પાલનની હેય. -તે સર્વનું ધ્યેય આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવું તે છે; એટલે કે મોક્ષના લક્ષ્યથી સર્વ કાંઈ ધર્મ આરાધન કરવાનું છે. મોક્ષ એટલે આત્માનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવું તે; પરંતુ પૂર્ણ || પણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટેની સામગ્રી વર્તમાન કાળે આ ક્ષેત્રે, આ જીવનમાં નથી; તો આ જીવનમાં જે કાંઈ ઉત્તમ સામગ્રી મળી છે, તેનાથી આપણું મૂળભૂત લક્ષ્ય જે મોક્ષ છે, તેને પ્રાપ્ત કરવા માટે આપણે ક્યાં સુધી પહોંચી શકીએ તેમ છીએ એ વાત એ સ્થિર ચિત્ત વિચારવી જરૂરી છે. નક ૧ / hit .. રા - . મા રાજા - - --- હર - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy