SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ - - - ---- - - - - -- -- - - - ---- જાય છે અને સંપત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીઓ નવપદના આરાધકેની પાસે આવીને વસે છે. મયણાસુંદરીને કહેવાનો ભાવાર્થ એ છે કે, દુન્યવી મુશ્કેલીઓમાં મનુષ્યને હેરાન કરવાની જેટલી શક્તિ છે, તેના કરતાં અનતગુણ શક્તિ પરમાત્માની ભક્તિમાં તે મુશ્કેલીઓ દૂર કરવાની છે. (શ્રીપાળ દરિયામાં પડે છે તે પ્રસંગે કરણની અસર દ્વારા કર્મોમાં ફેરફાર થાય છે તે હકીકત વાચકે અહીં ફરીથી જોઈ લેવી) પરમાત્મા મનમંદિરમાં આવતાં શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તેથી અશુભ કર્મ શુભમાં સંક્રમણ થઈ જાય છે, અશુભ સ્થિતિ અને રસ ઘટી જાય છે, શુભમાં સ્થિતિ અને રસ વધી જાય છે. વગેરે કારણોથી જિનભક્તિમાં અંતરાયને તોડવાની અદ્દભૂત શક્તિ છે. માટે માતાજી! જરાપણ ચિંતા ન કરશે. - - - - - - - - જૈન મહાભારતનો એક પ્રસંગ આપણને અહીં ખૂબ ઉપયોગી છે. પાંચ પાંડવો, દ્રૌપદી અને કુંતામાતાજીએ ઘણી ઘણું યાતના ભેગવી છે. દુઃખને અંત હજુ પણ આવતે નથી. જંગલમાં રહેલાં છે તે વખતે એક વિદ્યાધર મુનિરાજ પધારે છે. કુંતામાતા મુનિરાજને પૂછે છે, “હવે દુઃખને અંત ક્યારે આવશે? મારા પુત્ર અને દ્રૌપદીનું dદુઃખ મારાથી હવે સહન થતું નથી.” E ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy