________________
(D(SUGGJSGGU) Gઉન્ટ
AS AHHAHAHAHAHAHHAHOBUS શ્રીપાળ અને મયણનાં
આધ્યાત્મિક જીવન રહસ્યો
* ખંડ એ * શિથિલ થવ)
શ્રીપાલ મહારાજાએ ઉજૈની નગરીની ચારે તરફ મટે ઘેરે નાખ્યો છે. ઉજજૈની નગરીના દરવાજા રાજાએ બંધ કરી દીધા છે. આખું નગર ભયગ્રસ્ત બની ગયું છે. દુશ્મનનું સૈન્ય જોઈ સૌ કોઈ ચિંતાતુર બની ગયા છે. ઉજૈની નગરીમાં જ શ્રીપાલના માતાજી કમલપ્રભા અને મયણાસુંદરી રહેલાં છે.
માતા કમલપ્રભા પુત્રવધૂ મયણાસુંદરીને કહે છે :હે પુત્રી ! કોઈ બળવાન દુશ્મન રાજાના સૈન્ય આપણા નગરને ઘેરે ઘાલ્યો છે. આખું નગર અત્યારે ભયગ્રસ્ત | બની ગયું છે. સર્વત્ર એક જ વાત ચાલે છે. દુશમન રાજાનું સત્ય ઘણું મોટું છે. આપણા ઉપર મહાન આપત્તિ આવી છે. નગરજનનું શું થશે ? વળી હે પુત્રી ! તારે પ્રિયતમ પરદેશ ગયો છે. તેને ઘણા દિવસ વીતી ગયા છે. I[ તેને આવવાનો વાયદે પણ પૂરો થઈ ગયો છે. પણ હજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org