SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ત્રીજી સખીને મનગમતે જવાબ મળ્યો તેથી તે ચુપ, થઈ ગઈ. ચોથી સખીને પ્રશ્ન છેઃ “જિત્તો લિૉ બિલાડ” ભાગ્યમાં હશે તેટલું જ મળશે.” આપણે પણ આ જ પ્રશ્ન છે. લાખ રૂપિયા મળે તેવું પ્લાનીંગ કર્યું છતાં દશ હજાર મળ્યા. આવા સમયે આપણે ચિંતા કરીએ છીએ. બીજાને દોષ આપીએ છીએ. હવે શ્રીપાલ મહારાજા શું ઉપાય બતાવે છે ? રે મન અપા ખંચિ કરી, ચિંતા જાળ મ પાડ; ફળ તિત્તોહિ જ પામીએ, જિત્ત લિહ્યો નિલાડ. રે મન ! તું આત્માને ખેંચીને શા માટે ચિંતાની જાળમાં ફસાવે છે ? ફળ તે તેટલું જ મળશે જેટલું ભાગ્યમાં લખ્યું હશે. પુરુષાર્થ ગમે તેટલો હેય પણ ફળ ભાગ્ય પ્રમાણે જ મળે છે. ચોથી સખીને મનગમતો જવાબ મળવાથી તે ચુપ થઈ ગઈ પાંચમી સખીનો પ્રશ્ન છે: “તસુ તિહુઅણ જણ દાસ” ત્રણ જગતના જી આ મનુષ્યના દાસ બનીને રહે છે. આપણે પણ આ જ પ્રશ્ન છે. “સમાજમાં આપણને કેઈ સ્થાન મળે, ચાર માણસે આપણી સલાહ લે, આપણી પ્રતિષ્ઠા સર્વત્ર ફેલાય” આવું બધા જ ઈરછે છે પણ સફળતા મળતી નથી. તે શું કરવું? શ્રીપાલ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy