________________
उह
પણ ઘણી માટી છે, કુટુંબ પરિવાર સારી રીતે મારી ઈચ્છા મુજબ વર્તે છે, મારે સ` પ્રકારની સાનુકૂળતા થઈ ગઈ છે. આ જીવનમાં પ્રાપ્ત કરવા લાયક બધું જ મને મળી ગયું છે.”
સંતપુરુષ કહે છેઃ “ મહાનુભાવ! તમારે એક જ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી છે. તમારા મનનાં કિરણા જગતમાં સર્વત્ર પ્રસરાયેલાં છે, તે મનને પરમાત્મામાં કેન્દ્રિત કરવુ તેટલુ જ કાર્ય ખાકી છે. અને આ એક કાર્ય બાકી રહી જાય તેા તમારૂ બધું જ કાર્ય. અધૂરૂ છે. તમારી પાસે અત્યારે છે તે તમારું અનંતકાળનુ ભાવિ સુધારવામાં કાંઇ કામ ન લાગે.”
પરમાત્માની સાથે મનના મેળાપ કરવાની એક કળામાં સર્વ કળા સમાઈ જાય છે. કેવી રીતે ? મનના વિષય ત્રણ લેાક છે. ત્રણ ભુવનના વિષયામાં ફરતું મન જન્મ-મરણુની પર'પરાનું કારણ છે. માટે જિનેશ્વર ભગવતાએ કહેલા ધ્યાનનું સામર્થ્ય ધરાવનારા મિત્રના આલંબન દ્વારા મનને પરમાત્મામાં કેન્દ્રિત કરવાથી તે મન સુક્તિનુ કારણ મને છે. પરમાત્મામાં કેન્દ્રિત થયેલુ મન એ વિશ્વ ઉપરનું અમૃત છે અને તેનુ પાન કરતાં પરમાનદસ્વરૂપ આત્મમાં મનને સ્થિરતા પ્રાપ્ત થાય છે. પરમાત્મામાં કેન્દ્રિત થયેલું મન પરપરાએ આત્માના અનુભવ અમૃતનું પાન કરાવી અ ંતે તે સંપૂર્ણ મુક્તિને આપનાર બને છે.
પરમાત્મા સાથે એકતા સાધવાની દિવ્યકળા પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org