SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ વાની પણ એક કળા છે. આ કળાને ધર્મકળા કહેવાય છે. Supermost Art is to realise oneness with Supreme Power. મયણાસુંદરીએ બાલ્યાવસ્થામાં કળા સિદ્ધ કરી હતી. તેને કોઢિયે પતિ મળે, તે સમયે મયણાસુંદરીનું સમ્ય યદર્શન એટલું જવલંત હતું કે તેના મુખ ઉપર એક રેખા પણ બદલાઈ ન હતી, એવી અજોડ સ્વસ્થતા તે અનુભવી રહી હતી. બીજા દિવસે પ્રાતઃકાળમાં કઈ વૈદ્ય કે ડોકટરનું શરણ ન શોધતાં પરમાત્માના શરણુ માટે પતિની સાથે મંદિરે દર્શન કરવા ગઈ. ત્યાં પૂજા કર્યા પછી પરમાત્માના ધ્યાનમાં મયણાસુંદરી સ્થિર બની ગઈ અને કાર્યસિદ્ધિ થઈ. શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના જીવનમાં અનેક પ્રસંગોએ પરમાત્માની સાથે ધ્યાનમાં એકાકાર થતાં કાર્યસિદ્ધિ થવાના પ્રસંગે આવે છે. જગતમાં અનેક કળાઓ છે. આપણે કઈ કળા સિદ્ધ કરીશું? મહાપુરુષે કહે છે: “જે મનુષ્ય પરમાત્માની સાથે એકાકાર બનવાની કળા સિદ્ધ કરી છે, તેને રાજાઓના રાજા બનવાની કળા સિદ્ધ થઈ ગઈ છે. જે મનુષ્ય ભગવાનની સાથે મનને મેળાપ કરવાની કળા સિદ્ધ કરી છે, તેને સ્વર્ગ અને મક્ષની લક્ષ્મી પોતાના હાથમાં વરમાળા લઈ તેના કંઠમાં આરોપણ કરવા તત્પર બનીને રહે છે.” એક કરોડપતિ શેઠ એક સંતપુરુષની પાસે આવ્યા. શેઠ કહે છે: “મારી પાસે ઘણી સંપત્તિ છે, સમાજમાં આબરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy