SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ છે. આખા નગરમાં સઘળે ઠેકાણે મેડીએ અને માળે વિણાના મધુર સૂરે રણઝણે છે. જંગલમાં ગોવાળિયા પણ વીણુ વગાડે છે. ખેતરમાં ખેડૂતે પણ વીણા વગાડે છે. આખા નગરમાં આવું કૌતુક થઈ રહ્યું છે. પરદેશી માણસ શ્રીપાલ મહારાજાને કહે છે કે | આજ સુધીમાં અનેક પરીક્ષાઓ લેવાઈ ગઈ, પરંતુ વીણાવાઘની કળામાં રાજકુમારીને કોઈ જીતી શક્યું નથી. તેથી રાજકુમારી વિમાસણમાં પડી ગઈ છે. રાજા ચિંતાતુર બની ગયે છે. આ વાત સાંભળી પરે પકારના ભંડાર શ્રીપાલ મહારાજા કુંડલપુર નગર જવાને વિચાર કરે છે. ચારસો ગાઉ દૂર પહોંચવાનું છે. તે સમયે આજના જેવા ઝડપી સાધન ન હતાં. ઊંટ અને ઘડા જેવા સાધનો ઉપર જવું પડતું. ચાર ગાઉ પહોંચવું શી રીતે ? ત્યાં તે ક્ષણમાં જ વિચાર આવે છે સિદ્ધચક મુજ એહ, મનોરથ પૂરશે, એહિજ મુજ આધાર, વિઘન સવિ ચૂરશે; થિર કરી મન વચ કાય, રહ્યો ઈક ધ્યાન શું, તમય તત્પર ચિત્ત, થયું તસ ગ્યાન શું. શ્રીપાલ મહારાજા વિચારે છે : સિદ્ધચક્ર એ જ મારા સઘળા મનોરથ પૂર્ણ કરનાર છે. મારા જીવનમાં આવતાં વિનો નાશ કરવા માટે સિદ્ધચક્ર એ જ એક પરમ શક્તિ છે. એ જ મારા જીવનને આધારસ્તંભ છે. આ વિચાર કરી શ્રીપાલ મહારાજા સિદ્ધચક્રના ધ્યાનમાં તન્મય-તકૂપ બની છે મકર - - - -- - ------ ---- R Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy