________________
૧૦૯.
ન
કરી, ત્યાં રાજપુત્રી મદનમંજરી આવીને પિતાને (રાજાને) વિનંતી કરે છે-“પિતાજી! વિચાર કરીને કામ કરવું જોઈએ જેથી પસ્તાવાનો વખત ન આવે.”
રાજા શ્રીપાલને કુલ વંશ પ્રગટ કરવા કહે છે ત્યારે શ્રીપાલ કહે છે: “મારા કુલ વંશ તલવારની ધાર ઉપર પ્રગટ કરીશ. છતાં તમને જાણવાની ઈચ્છા છે તે દરિયાના કિનારા ઉપર વહાણને કાફલો આવેલો છે તેમાં મારી પરણેલી બે રાજ પુત્રીઓ છે તેમને બોલાવી પૂછી શકે છે.”
મંત્રીને મોકલી રાજકુમારીઓને રાજદરબારમાં બોલાવી. વિદ્યાધર પુત્રી મદનમંજુષાએ શ્રીપાલનું ચરિત્ર વિદ્યાધર મુનિ પાસેથી સાંભળેલું કહી સંભળાવ્યું. ઠાણા નગરીને રાજા ખૂબ આનંદમાં આવી ગયો. “શ્રીપાલ તે મારી બહેનને પુત્ર છે. ઘી ઢળ્યું તે ખીચડીમાં ઢળ્યું. વળી મારે પુત્ર નથી. રાજ્ય કેને સેંપવું તેની પણ ચિંતા હતી તે ચિંતા પણ ટળી.” ડુંબના આગેવાને કહ્યું કે ધવલ શેઠના કહેવાથી અમે આ પ્રપંચ કર્યું છે. ધવલને બાંધીને રાજદરબારમાં લાવ્યા. શ્રીપાલે ધવલને છોડાવ્યો. સજજન શ્રીપાલ પિતાનું સજનપણું છેડતું નથી. દુર્જન ધવલ પિતાનું દુર્જનપણું છેડતા નથી. શ્રીપાલે ધવલને પોતાના મહેલમાં સાથે રાખ્યો.
એક દિવસ ધવલ વિચાર કરે છે-“આપ મુઆ સિવાય સ્વર્ગે જવાતું નથી. શ્રીપાલને આ સુખ કરી Iભોગવવા નહીં દઉં. મારે હાથે જ કુંવરને હણી નાખું.”
=
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org