SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ઉપાધ્યાય યશેવિજયજી મહારાજા તપ પદની પૂજામાં તપ દ્વારા નિકાચિત કર્મ પણ ક્ષય કરી શકાય છે તેવું કહે છે. આ પ્રમાણે નિકાચિત કમ સિવાયના કર્મ બદલી શકાય છે. આ બધું જોતાં હવે આપણે જે નિરંતર શુભ અધ્યવસાયમાં રહીએ તો આપણું અશુભ કમને પલટાવાની શક્તિ તે શુભ અધ્યવસાયમાં છે. અને શુભ અધ્યવસાયનું પરમ અવલંબન નવપદનું ધ્યાન, નમસ્કાર મંત્રનું સ્મરણ, પ્રભુ ભક્તિ આદિ છે, માટે શુભ અધ્યવસાયના આલંબનનું નિરંતર સેવન કરવું અને અશુભ અધ્યવસાયના આલંબનોને છોડવા તે જ ઉપાય કમના બંધનમાંથી છૂટવાનો છે. - હવે પ્રશ્ન એક જ રહે છે કે કરેલું કર્મ અવશ્ય જોગવવું પડે તેવું જે કહેવામાં આવે છે તેનું શું? કર્મ ભોગવવાના બે પ્રકાર છે. એક વિપાક ઉદયથી, બીજું પ્રદેશ ઉદયથી. દા. ત. એક માણસે ૧૦૦૦ ટાટા એરડીનરીના શેર ૨૫૦ના ભાવે ખરીદ કર્યા. અને સાંજની ટેઈનમાં તે માણસ આબુની જાત્રા કરવા ગયે. આઠ દિવસ આબુ રહ્યો. આઠ દિવસ સુધી તેને ભાવ જાણવા મળ્યા નથી. તે આઠ દિવસ દરમ્યાન ૨૫૦ વાળા ભાવ ઘટીને ૨૧૦ થઈ ગયે. અને તે ભાઈ આબુની જાત્રાથી ઘરે આવ્યા ત્યારે ૨૮૦ નો ભાવ છે. હવે ૨૧૦ નો ભાવ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy