________________
૭૪
કે શક્તિ માટે જગતમાં દેડવાની જરૂર નથી. પરમાત્માના ખજાનામાં સર્વ કાંઈ ઉત્તમ છે તે આપણા માટે તૈયાર જ છે.
સાધક પોતે પરમાત્માને જેટલા મહાન નિહાળે છે. તેટલી જ મહાનતાને તે પામે છે. મહાન બનવા માટે લોકો પાસે દોડવાની કોઈ જરૂર નથી. પરમાત્માની મહાનતાને હૃદય મંદિરમાં ધારણ કરવાની જરૂર છે.
આપણે પરમાત્માને જેટલા શક્તિશાળી જોઈએ છીએ તેટલી જ શક્તિ આપણુમાં ઉત્પન્ન થાય છે. શક્તિ મેળવવા માટે જગતમાં દેડવાની જરૂર નથી. પરમાત્માની અનંત શક્તિને આપણું મન મંદિરમાં વસાવવાની જરૂર છે.
જેટલી ભક્તિ ભગવાન પ્રત્યે આપણું હૃદયમાં હોય છે તેટલી જ તૃપ્તિનો જીવનમાં અનુભવ થાય છે. તૃષ્ણને અંત લાખે, કોડે કે અબજો મળવાથી આવતો નથી, પણ પ્રભુ ભક્તિથી જ આવે છે.
જેટલી મમતા ભગવાન પ્રત્યે, તેટલી જ સમતાને જીવનમાં અનુભવ થાય છે. અશાંતિ અને અજંપાનું દેખાતું કારણ મનુષ્ય ગમે તે બતાવે, જેવાં ક-શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક, રાજકીય વગેરે. પરંતુ આર્થિક ઉણપને કારણે અશાંત મનુષ્યના જ્યારે આર્થિક
સંજોગ સુધરે છે ત્યારે વધારે અશાન્ત બને છે. એટલે L[ સાચું કારણ આ બધા બહારના માની લીધેલા સંજોગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org