________________
નામ ગ્રહ આવી મિલે, મન ભીતર ભગવાન”
માટે પરમાત્માને મેળવવાની તીવ્ર ઝંખના Dynamic Desire આપણામાં ઉત્પન્ન કરવી અને તે ઝંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે ત્રિવિધે ત્રિવિધ પ્રભુભક્તિ કરવી. (Devotion to Divinity )
જૈનશાસનમાં ચાર નિક્ષેપાનું અદ્ભુત તત્ત્વજ્ઞાન છે. ભાવનિક્ષેપો તો અતિ ઉપકારી છે જ, પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્યની પણ અતિ કિંમત છે. ઉપાધ્યાયજી યશેવિજયજી મહારાજા “પ્રતિમાશતક” નામના ગ્રંથમાં લખે છે – ___नामादित्रये हृदयस्थित मति भगवान् पुर इव स्फुरति । दयमिवाऽनुप्रविशति, मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः, तत्कथं निक्षेपत्रयादरं विना भावनिक्षेपादरः ? प्रायोल्लासस्य तदधीनत्वात् ॥
ભાવાનુવાદ : નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ હૃદયમાં સ્થિર થવાથી ભગવાન જાણે સાક્ષાત્ સામે દેખાય છે, જાણે હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, મધુરાલાપથી જાણે આપણી સાથે બેસી રહ્યા છે, જાણે આખા શરીરમાં ભગવાન વ્યાપી ગયા હોય, જાણે તન્મય ભાવને પામ્યા હોય તેવું અનુભવાય છે. તેથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. માટે ત્રણ નિક્ષેપાના આદરથી જ ભાવનિક્ષેપને આદર થઈ શકે, અને ભાવેબ્રાસ વધે છે. મહાપુરુષોએ આ રીતે પરમાત્માને ચારે નિક્ષેપે
-------જીરૂ
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org