________________
શ્રી સમસ્કાર મહામંત્ર તત્વયંતિકા
૩૯
સાચો આરાધક . જીવનમાં પ્રસંગે પ્રસંગે પ્રગટતા “અહંને પારખી તેને ડામવા જે સતત પ્રયત્નશીલ હોય....
અનાદિ સંસ્કારોના બળે ભૌતિક કામનાઓ તરફ ઢળતા મનને = માનવ સ્વભાવને જે કાબૂમાં રાખે... જાતને સુધારવા જે ખૂબ જ જાગ્રત હોય... આત્મ-નિરીક્ષણ દ્વારા જે પોતાના દોષોને ખોળી કાઢવા તત્પર હોય.. છે. ઈદ-હઠાગ્રહને સાધના–માર્ગમાં મોટા વિનરૂપ માની તેનાથી જે દૂર રહે.. છે. કોઈની પણ સલાહ-સૂચનાને ખૂબ ધ્યાનપૂર્વક સમજવા જે પ્રયત્નવાળો હોય. આવેશનાં નિમિત્તો મળવા છતાં જે નમ્રતા સતત જાળવી રાખે. સ્વભાવમાંથી કટુતા કે ડંખીલીવૃત્તિ દૂર કરી સાધનાના પંથે મકકમ ડગ માંડનાર.. ચારિત્ર્યની શુદ્ધિ આરાધનાનો મહત્ત્વનો પાયો હોઈ અંગતજીવન ખૂબ જ ચોકકસાઈભર્યું રાખી સતત સેવાવૃત્તિ કેળવનાર... ગુરુ-આજ્ઞાને જીવન-પ્રાણ સમજી તેને સક્રિય બનાવવા પૂર્ણ પ્રયત્નશીલ...
શ્રી નમસ્કાર મહામન્ત્રની આરાધનામાં વિકાસ માટે અતિ ઉપયોગી ૧૦ બાબતો ૧. મર્યાદાશુદ્ધિ કાયિક-વાચિક-માનસિક બ્રહ્મચર્યનું પાલન કરવું. ૨. જાપ એકાન્તમાં કરવો. ૩. માળા ઉપર કોઈની દષ્ટિ ન પડે તે રીતે બેસવું. ૪. પરનિંદા સદંતર છોડવી, પરનિંદા સાંભળવી પણ નહીં. ૫. જગતના જીવમાત્રનું ખાસ કરીને આપણા દુશ્મનોનું પણ ભલું ઇચ્છવું. ૬. ચમત્કાર અનુભવાય તો ગર્વ ન કરવો. જેને તેને કહેવો નહીં. છે. તેલ-મરચું શકય તેટલું ઓછું વાપરવું. ૮. સાત્વિક આહાર અને સાત્વિક જીવનચર્યા રાખવી. ૯. બીજા ધમ કે દેવો પ્રતિ તિરસ્કાર ભાવ ન રાખવો. ૧૦. પ્રાણીમાત્ર સિદ્ધસ્વરૂપ છે, એવું સમજી કોઈના પ્રતિ મનમાં તુચ્છભાવ ન રાખવો.
તા. ૧૪-૪-૭૮. ઉઝા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org