________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
વિશિષ્ટ પુણ્યના બળે અંતરાયભૂત તત્ત્વોનો નાશ થવા માંડે.
૪. સારી પરિસ્થિતિનું સર્જન = ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણાથી પાપકર્મોનું બળ ઘટવાથી, અનુકૂળ વાતાવરણાદિની પ્રાપ્તિ થવા પામે, જેથી ક્રિયા વ્યવસ્થિત સાનુબંધ થાય.
૫. જિજ્ઞાસા ક્રિયાના સ્વરૂપની વિશેષતા, તેના ફળ રૂપે થતાં કર્મોના ક્ષયોપશમ આદિ અંગે, આંતરિક જિજ્ઞાસા પ્રગટે.
=
૬. જ્ઞાનીઓની સેવા
ઉત્પન્ન થયેલ ઉપરની જિજ્ઞાસાની પૂર્તિ માટે તેવા યોગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરુનાં ચરણોની સેવા ભકિત કરવાની કામના જાગે.
ઉપરનાં છ લક્ષણો સદનુષ્ઠાનનાં છે. આવું સદનુષ્ઠાન મોટે ભાગે નિર્જરાના વિકાસ તરફ આપણને લઈ જાય. અવાંતરભાવે પુણ્ય બંધાય તો તે પુણ્યાનુબંધી કક્ષાનું બંધાય.
૨૮૩
=
Jain Education International
ક્રિયાઓ જ્ઞાની નિર્દિષ્ટ પદ્ધતિએ, સ્વસ્વકક્ષાનુરૂપ, ગુરુઆજ્ઞાથી જ્ઞાની સદ્ગુરુની નિશ્રાએ આચરવામાં આવે તો, તે ધર્મક્રિયાઓ મોહના સંસ્કારોનો વિશિષ્ટ ક્ષયોપશમ કરી, અંતરમાં અજવાળું પાથરે. પરિણામે ઉપર જણાવેલ છ લક્ષણવાળું સદનુષ્ઠાન આપોઆપ આચરવાની ભૂમિકા મળે. માટે વિવેકી પુણ્યાત્માઓએ જ્ઞાનયોગના પરિપાકરૂપે ક્રિયાઓને વ્યવસ્થિત રીતે આચરી સદ્દનુષ્ઠાનરૂપે પલટાવી આંતરિક શુદ્ધિના તત્ત્વને વિકસાવવાની જરૂર છે.
તમો પૂર્વ જન્મના વિશિષ્ટ પુણ્યના કે ગત ભવોમાં જ્ઞાની-નિર્દિષ્ટ યથોચિત ક્રિયાઓની વિધિના લક્ષ્યપૂર્વક કરેલી આચરણાના બળે આ ભવમાં વિશિષ્ટ સમજણ અને પ્રભુશાસનને ઓળખવાની તમન્ના તેમજ તદ્દનુરૂપ યોગ્ય સાધનોની પ્રાપ્તિ કરી શકયા છો. તો તેની સફળતારૂપે ક્રિયાઓને સદુષ્ટાનપણે પરિણમાવવાની સત્પ્રવૃત્તિનો ભવ્ય પુરુષાર્થ કરો એ મંગળ કામના.
For Private & Personal Use Only
www.jainelibrary.org