________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
૨૨૯
૩. પૌગલિકભાવના આકર્ષણનો ઘટાડો આ ત્રણ સાધના શરૂ થયાની પ્રાથમિક ફળશ્રુતિ છે.
જીવનમાં શકિતઓ અંદરથી ઊર્ધ્વમુખી વિકાસ માટે તત્પર બની રહી છે તેની નિશાનીરૂપ આ ત્રણ બાબતો છે. આરાધના એટલે શ્રી નવકારને એટલે કે પરમેષ્ઠિઓની આજ્ઞાને જીવનમાં સંપૂર્ણ સક્રિય બનાવવા સંપૂર્ણ તૈયારી, તેના પ્રાથમિક ચરણમાં ૦ શરણોપગમન, ૦ આજ્ઞાપાલનનો ભાવ, ૦ પૌગલિક રાગનો ઘટાડો, આ ત્રણ આરાધનાની ગાડી લક્ષ્યાભિમુખ થઈ ગઈ છે તેની નિશાનીરૂપ છે. આમાં છેલ્લા બેનો આધાર શરણોપગમન = અનકન્ડીશનલ સરંડરશીપનું વધુ મહત્ત્વ છે.
કામના - વાસનાથી પ્રેરાઈને કોક ની નિશ્રાનો સ્વીકાર આપણી શક્તિઓને વિકાસોન્મુખ ન બનાવે તેથી માત્ર આત્મશુદ્ધિના લક્ષ્યથી અંતરને ભક્તિ-શ્રદ્ધાથી પરિવાસિત બનાવી દીનભાવે તારકતાના વિશ્વાસ સાથે શરણોપગમન આપણી સઘળી શક્તિઓના ઉત્થાન માટે ખાસ જરૂરી છે.
શ્રી નવકારના આરાધક તરીકેની સૌથી જરૂરી શરત શરણાગતિભાવની છે. તેથી આપણો સ્વચ્છેદભાવ કાબૂમાં આવે છે. આજ્ઞાના પાલનથી સમતા વધે છે અને શ્રદ્ધાનું બળ મજબૂત બને છે. તેથી તું હીં તું હીં ભાવે શ્રી નવકારના કે પંચ પરમેષ્ઠીઓના શરણે આપણી વૃત્તિઓના લઈ જવાના લક્ષ-પ્રયત્નરૂપ આરાધનાની પ્રાથમિક ભૂમિકા કેળવવાની ખાસ જરૂર છે.
આ ભૂમિકા જેટલી નબળી તેટલી અંતરની શક્તિઓનો વિકાસ અધૂરો રહે છે. મહાપુરુષોની એ ખાસિયત હોય છે કે તેઓ પ્રથમથી ઉપાસ્ય તત્વોને નિષ્કામ ભાવે સમર્પિત બની જતા હોય છે. આ જાતના નિષ્કામ સંપૂર્ણ સમર્પણને સિદ્ધિનું પ્રધાન અંગ મહાપુરુષોએ જણાવ્યું છે.
નાનું બાળક ૪-૬ મહિનાનું પોતાની માને કેવું સમર્પિત હોય છે તેવી હૈયાની વૃત્તિ આપણે સમજણપૂર્વક આપણી ધારણા-ભાવનાઓના આવેગને કાબૂમાં રાખી સદ્ગુરુના શરણે સમર્પિત થવા પ્રયત્નશીલ થવું ઘટે.
ભલે ! આપણે સંસારમાં ગમે તેટલા વ્યવહાર ચતુર બુદ્ધિમાન હોઈએ પણ આંતરિક જીવનશુદ્ધિના ક્ષેત્રમાં આપણે હજી પ્રવેશ કર્યો છે. હજી આપણે પા પા પગલી શીખીએ છીએ, ત્યાં જે આપણી ટૂંકી અણસમજ ભરેલી બુદ્ધિનું ડોળાણ કરવા જઈએ તો આપણી શકિતઓના વિકાસને રૂંધનાર સ્વચ્છંદતા, આપમતિનું સામ્રાજ્ય થઈ જાય તો આરાધના માત્ર ખોખું થઈ જાય. તેમાં પ્રાણ, શરણાગતિ કે સમર્પિતભાવ આપણે ઉમેરી ન શકીએ. માટે નિષ્કામ – અનકંડિશનલ
સમર્પણ – સરંડરશીપ એ આપણી જીવનશુદ્ધિનો મુખ્ય પાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org