________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૨૧૫
II શ્રી વર્ધમાન સ્વામિને નમ: II
જા
આધ્યાત્મિક વિકાસપંથે બુદ્ધિ – મનની સ્વતંત્ર ગતિ મોટામાં મોટું વિઘ્ન છે. આ વાત ખૂબ જ ગંભીરતાથી યાદ રાખવા જેવી છે.
કેશર કે મોતી વગેરે ઝવેરાત તોળવા માટે જેમ લાકડાં – કોલસા તોળવાનો કાંટો નકામો પડે છે તેમ બુદ્ધિ – મનનો કાંટો આત્મશુદ્ધિના પંથે અનુપયોગી છે.
કેમ કે બુદ્ધિ - મન કર્મસત્તાથી નિયંત્રિત છે. કર્મસત્તાના તેઓ ઓપરેટર છે તેથી આત્મશુદ્ધિમાં કર્મસત્તાનાં મૂળ ખસેડવાની વાત મુખ્ય હોઈ મોટે ભાગે બુદ્ધિ મન તે વાતનો પ્રત્યાઘાત સારો ઊભો ન કરે.
અને આપણે અનાદિકાળથી એવા ટેવાઈ ગયા છીએ કે બુદ્ધિ – મન જેના પર મહોર-છાપ ન મારે તે પ્રવૃત્તિ તરફ લક્ષ્ય નથી આપતા.
આપણી વર્તમાનકાલીન જીવનયાત્રા બુદ્ધિ - મનના ટેકાથી ચાલે છે.
જ્યારે આપણને મન મળ્યું ન હતું કે વ્યવસ્થિત વિકાસ નહોતો ત્યારે આપણે શરીર અને ઈદ્રિયોના ભરોસે ચાલતા હતા.
બુદ્ધિ - મનના વિકાસ પછી આપણી જીવનયાત્રાના ઓર્ગેનાઈઝર આ બે બન્યા છે. ખરેખર તો આ ચંડાળ ચોકડી છે. – શરીર, ઇન્દ્રિયો, બુદ્ધિ, મન.
આ ચારે એવા સ્વાથ છે કે પોતાના સ્વાર્થ પાછળ આત્માને દુર્ગતિમાં જવું પડે તેની પરવા કર્યા વિના ક્ષણિક સુખોના આભાસમાં ભોળવી આત્માની સંમતિ મેળવી લે છે.
આત્મા પણ અનાદિકાળનો કર્મપરવશ બનેલો એવો પાંગળો કે આ ચાર જણા કહે તેમાં હા પાડ્યું જાય છે અને સરવાળે દુઃખી થાય છે. માટે આત્મશુદ્ધિના પંથે ચાલનારાએ શ્રી નવકાર મહામંત્રની આરાધના દ્વારા જીવનશુદ્ધિનો મર્મ મેળવવા ઈચ્છતા આરાધક પુણ્યાત્માને બુદ્ધિ - મનને સ્વતંત્ર દોર ન આપવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org