________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વત્રિકા
૨૦૫
કરવાનો છે.
આનાથી તમારી જીવનશકિતઓ વધુ વ્યવસ્થિત બની જશે જેથી તમો અત્યારે સંસારી ત્રિભેટે આવી પહોંચ્યા છો - કે જ્યાંથી આધ્યાત્મિક - આંતરિક - વ્યાવહારિક માર્ગના સમન્વયવાળા ઉકેલની ખાસ જરૂર છે.
નહીં તો વ્યાવહારિક રસ્તે ચઢી ગયા તો એવા અટપટા પ્રસંગોમાં ગૂંથાઈ જશો કે પરિણામે આધ્યાત્મિક આંતરિક માર્ગની પિછાણ પણ કદાચ ન રહે. તેથી તમોએ હાલમાં વર્ષ-બે વર્ષ ખૂબ સાવચેતીથી અત્યાર સુધી જે આજ્ઞાના બંધારણ પર ચાલતા આવ્યા છો તે બંધારણને જાળવવાની ખાસ જરૂર છે. - તમારા ત્રણેમાં વ્યકિતગત વિકાસની દૃષ્ટિએ જરા જુદી વાત છે તે સહુના આંતરિક વિકાસ પ્રમાણે શ્રી નવકાર મારા માધ્યમથી કે જાપના માધ્યમથી થતી સબુદ્ધિ કે વિચારણા દ્વારા તમોને જાણવા મળશે, પણ વિશિષ્ટ જીવન ધોરણ જાળવવા માટે હજી તમારે ખૂબ જ સાવધાનપણે શ્રી નવકારના વયોગની સાધના જાપની સ્થાન - સમય - સંખ્યાની નિયતતા સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, શ્રુત સામાયિક, અભક્ષ્ય – રાત્રિ ભોજન આદિનો ત્યાગ અને વિષમ વાતાવરણની પરહેજી આ બધું જાળવવાની ખાસ જરૂર છે. વિચારોમાં પડેલા પૂર્વજન્મના સૂક્ષ્મ વિકાર બીજે તમારી આ ઉમરે બાહ્ય સંસારી વાતાવરણ કે તે તે પદાર્થોના નિમિત્તોને પામી વિકસિત થવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે વિવેકી આરાધકે ખૂબ ગંભીર સાવચેત બની અંતરની જાગૃતિ કેળવી શ્રી નવકારને વધુ સમર્પિત બની આજ્ઞાન ધોરણને જાળવીને મન-વચન-કાયાના પ્રયત્નને તાલબદ્ધ કરવો જોઈએ.
તમારામાં વિનય, આજ્ઞા-ગ્રાહિત્ય અને સરળતા આ ત્રણ ગુણો આરાધનાના પ્રાથમિક તબકકાના વિકાસ પામ્યા છે તે ખુશી થવા જેવું છે.
- હવે તે પાયા પર ચણતર બે વર્ષની સાવચેતી રાખી કરવાનું છે કે જેથી શ્રી નવકાર જીવનના દરેક તબકકામાં એક સાચી રીતે આંતરિક જીવનશકિતઓને વ્યવસ્થિત રીતે આધ્યાત્મિક દિશામાં લઈ જઈ આંતરિક શુદ્ધિના લક્ષ્ય તરફ લઈ જાય. માટે બે વર્ષ ખૂબ સાવચેત રહેશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org