________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
તમારે થોડીક સમજશકિતને વિકસાવી હજાર હાથના ધણી શ્રી નવકારને નિખાલસપણે સરંડર = શરણાગત થવાની ખાસ જરૂર છે.
૨૦૪
ત્વમેવ સર્વ મમ દેવ દેવ । ત્વમેવ વર્ષે શરણં પ્રપદ્યે
નો ભાવ હૈયામાં ગુંજતો કરવાની ખાસ જરૂર છે.
તમો વર્ણયોગ – અક્ષરોને સામે રાખી સામાયિકમાં નિયત સમયે નિયત સ્થાને જરૂર શ્રી નવકારના શરણે જાઓ. ફકત ૧૦ મિનિટ, ત્રીજા અઠવાડિએ ચમત્કારિક અનુભવ થશે.
માનસિક અનુપમ શાંતિ અનુભવાશે, જીવનમાં કંઈક મેળવ્યાનો અનુભવ થશે. સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ખાસ આવશ્યક અંગ છે, તે પણ ન ભૂલશો.
૧૦૩
STUF
જૈન આગમમંદિર, પાલીતાણા
૨૨-૯-૮૪
વિ જણાવવાનું કે આરાધનાના પંથે મનની ચંચલતા મોટું વિઘ્ન છે પણ લક્ષ્યની અસ્થિરતા ન થવી જોઈએ. મનની ચંચલતા તો જાપથી સહજ રીતે કાબૂમાં આવી શકે છે પણ લક્ષ્યની અસ્થિરતા તો આપણી આરાધનાને ડહોળી નાંખે છે.
Jain Education International
R
–
તેથી તમો સહુ આરાધનાનું લક્ષ્ય જીવન શુદ્ધિ - મન-વચન-કાયાની સરળતા અને મોહના વિનાશ દ્વારા જીવનમાં શાશ્વત સુખ-શાંતિની સ્થાપનાનું મગજમાં-હૈયામાં ગોઠવી રાખશો. જીવનનો અર્થ જ આપણી શકિતઓને લક્ષ્યગામી બનાવવાના પ્રયત્નમાં સમાયેલ છે. જીવનશકિતઓ અત્યારે આપણને અધોગામી પ્રવાહો તરફ ખેંચી જાય છે.
માન, લાલસા, વાસના, મમતા, આસકિત, શરીરનું મમત્વ આદિ અધોગામિક પ્રવાહો છે. આપણી જીવનશકિતઓ અનાદિકાળના અશુભ સંસ્કારોને પરવશ બની આ પ્રવાહો તરફ ઢળી જાય છે તેને વિશિષ્ટ લક્ષ્યની જાગૃતિના બળે ઊર્ધ્વમુખી બનાવવાનો પ્રયત્ન શ્રી નવકારના જાપના માધ્યમથી
For Private & Personal Use Only
www.jainelibrary.org