________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
મારી પાકી ભલામણ છે. આ સાથે વિલાસી વાતાવરણ, સેકસ્યુલ સાહિત્ય કે વાતાવરણ, ભાઈબંધો સાથે મુકતવિહાર, અભક્ષ્ય ભોજન સિનેમા આદિના ત્યાગની પણ ખાસ જરૂરી છે.
દવાની સાથે ચરી પાળવી ખાસ જરૂરી, તેનાથી દવાની ધારી અસર થાય. કયારેક રસાયણ જેવી દવાથી થતા નુકસાનથી પણ બચાવ થાય.
શ્રી નવકારની આરાધના વિશિષ્ટ રીતે આત્મશુદ્ધિની રામબાણ દવા છે તમે બધા વિવેકી પુણ્યવાન આત્મા છો. વધુ શું લખું ? શ્રાવકકુળના બાપાના સંસ્કારોની જાળવણી થયેલી છે. તેમાં પરમ ઉચ્ચકોટીનો શ્રી નવકાર પૂર્વના પુણ્યયોગે મળી ગયો. તમારા સૌભાગ્યની અવધિ નથી પણ તે સૌભાગ્યને વ્યવસ્થિત રીતે જીવનશુદ્ધિના ઉદાત્ત સક્રિય વર્તનો - આચારોથી સફળ બનાવવાની જરૂર છે.
આ માટે તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વીતરાગ પ્રભુની પૂજામાં વ્યવસ્થિત શાસ્ત્રીય વિધિ મર્યાદાના પાલનનો ખાસ આગ્રહ રાખશો. રોજ ૧ સામાયિક જરૂર થાય તેમ કરશો. મહિનામાં બે પ્રતિક્રમણ બને તો દર ચૌદશ અગર બીજા બે દિવસ. રોજ ઓછામાં ઓછું નવકારશી અને રાત્રે તિવિહાર. બહારનું ખાનપાન બંધ, શ્રી નવકાર અંગેનું સાહિત્ય ના કલાક પણ વાંચવું.
આ બધાં કાર્યો એક યા બીજી રીતે તમારામાં આત્મશુદ્ધિનું બળ પૂરશે. તમારી વિધિવત્ મંત્ર દીક્ષા થયેલ છે. આ કાળમાં મંત્રદીક્ષાને આપણા સંઘમાં લગભગ સમજતા નથી. તેમાં તમોને વ્યવસ્થિત વિધિપૂર્વકની મંત્રદીક્ષા મળી છે એ તમારું મહાસૌભાગ્ય છે. તમે તો પુણ્યશાળી કે સંસારની મોહમાયાના વાતાવરણમાં પણ શ્રી નવકારની ઉપાસના, શરણાગતિભાવ આદિ તત્ત્વોને ટકાવી શકયા છો, છતાં મળેલી સુંદર તકનો લાભ લેવા માટે થોડાક પુરુષાર્થની જરૂર છે. તે માટે સાવધાન થાઓ તો વધુ ઉત્તમ.
૧૯૯
פד.
Jain Education International
૧૦૦
R
જૈન આગમમંદિર, પાલીતાણા
૨૦-૮-૮૪
સંસારમાં જેની કિંમત વધુ તે ચીજનું પ્રમાણ બહુ થોડું હોય, આ રીતે આપણને જીવનશુદ્ધિનું તત્ત્વ બહુ ઓછી જગ્યાએથી મળે છે, તેની તક પણ આપણને ઓછી મળે છે તે એમ સૂચવે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org