________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૧૭૩
રા
૮પ
જૈન આગમ મંદિર, પાલીતાણા
૨૭-૪-૮૪ વિશ્રી નવકારની આરાધનાના પંથે ચાલતાં આપણી વૃત્તિઓમાં સંવાદિતાનો સૂર પ્રગટ્યો છે કે નહીં તે ચકાસવું જરૂરી છે.
ગવૈયો કોઈ પણ રાગ તે ગાય - આલાપે કે કોઈ વાજિંત્રમાં ઉતારે ત્યારે તેમાં સંવાદી સૂરનો ટેકો મળે તો તે ગીત – ગાયનની મધુરતામાં વધારો થાય. પણ જે વિવાદી સૂર તે ગાયનનો વિરોધી સૂર ભળી જાય તો સાચા ગીતની મઝા બગાડી નાખે.
તેમ આરાધનાના પંથે આપણી વૃત્તિઓ ચાલે તેના પરિણામે વૃત્તિઓમાં સંવાદિતા = આરાધનાને અનુકૂળ વર્તનનો સૂર ભળે તો આપણી આરાધના દીપી ઊઠે.
નાની કિશોર અવસ્થામાંથી યુવાનીના ઉબરે વિકારી વિલાસી, ભૌતિક વાતાવરણની ઝેરી અસર તળે આવતાં પૂર્વે વૃત્તિઓનું સતત સંરક્ષણ કરનાર દિવ્ય શકિતશાળી શ્રી નવકાર મહામંત્રની ઓળખાણ જ્ઞાની મહાપુરુષોની મર્યાદા, શાસ્ત્રીય વિધિ સાથે મેળવી શકે તે આત્મા પુણ્યવાન ગણાય અને તેના સદ્ભાગ્યની અનુમોદના જેટલી કરાય તેટલી ઓછી છે.
તમો યથોત્તર હાથીની સૂંઢ પ્રમાણે આરાધનામાં જરૂરી સમર્પણભાવ કેળવી શક્યા છો તેના આધારે શ્રી નવકાર સાથે તમારી વૃત્તિઓની સંવાદિતાનો દોર ઢીલો હોઈ ઓછો – વત્તો કનેક્ષન જોડાય છે.
પણ મારી તમને ભારપૂર્વક ભલામણ છે કે ગાડીમાં બેઠા પછી પોટલું માથે ન રખાય – પછી તો પોટલું ગાડીમાં નીચે મૂકી જ દેવાય. તેમ આરાધનાની ગાડીમાં સમર્પિતભાવની તૈયારી સાથે બેઠા પછી સંસારની માની લીધેલ જવાબદારી (કોઈના વિના સંસારની ગાડી ઊભી નથી રહેતી, છતાં સંસારમાં બેઠા એટલે પુરુષાર્થ કરવો તો ખરો જ પણ હૈયું શ્રી નવકાર રૂપી માની ગોદમાં રાખવું ઘટે)નું ટેન્શન ઓફ કરી દેવું ઘટે.
“જિણ વિધ રાખે નવકાર, તિણ વિધ રહીએ” “જાકો રાખે શ્રી નવકાર, તાકો માર ન સકે કોય”
શ્રી નવકાર હજાર હાથનો ધણી છે.” તેને તો સંસારની જરૂરિયાતોની વૃત્તિ ડાબા હાથનો ખેલ છે, આવો નિષ્કામ સમર્પિતભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org